ભારતમાં નાણાંકીય વ્યવહારો માટે જેમાં આવકવેરા રિટર્ન ફાઇલ કરવું, ડિમેટ એકાઉન્ટ ખોલાવવું, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ અને સ્ટોક ટ્રેડિંગનો સમાવેશ થાય છે, પાન કાર્ડ ફરજિયાત છે. જોકે, કેવાયસીનું પાલન ન થવું, ધારકનું મૃત્યુ અથવા ડુપ્લિકેટ પાન જેવા વિવિધ કારણોસર પાન કાર્ડ નિષ્ક્રિય થઈ શકે છે.
ટ્રાન્ઝેક્શન રદ્દ થતા અટકાવવા માટે તમારું પાન સક્રિય છે કે નિષ્ક્રિય તે જાણવું ખૂબ જ મહત્વનું છે. આ ગાઈડલાઈન પાન સ્ટેટસ તપાસવાની સરળ ઓનલાઇન પદ્ધતિઓ અને જરૂર પડ્યે તેને ફરીથી સક્રિય કરવાના પગલાં સમજાવે છે.
મુખ્ય બાબતો
- પાન સક્રિય/નિષ્ક્રિય સ્ટેટસ તરત ચેક કરવા માટે આવકવેરાના ઈ-ફાઇલિંગ પોર્ટલનો ઉપયોગ કરો.
- આધાર સાથે લિંક ન હોવા અથવા કેવાયસી સમસ્યાઓના કારણે પાન નિષ્ક્રિય થવું સામાન્ય છે.
- નિષ્ક્રિય પાન આઈટીઆર ફાઇલ કરવા અને ડિમેટ એકાઉન્ટ ખોલવામાં અવરોધ ઉભો કરે છે.
- ફરીથી સક્રિય કરવા માટે આધાર લિંક કરવું અને અપડેટ કરેલા કેવાયસી દસ્તાવેજોની જરૂર પડે છે.
- રોકાણ જેવા મોટા નાણાંકીય વ્યવહારો કરતાં પહેલાં હંમેશા પાન સ્ટેટસ ચકાસો.
આ પણ વાંચો: પાન કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું?
પાન કાર્ડ સક્રિય છે કે નિષ્ક્રિય તે સ્ટેટસ કેવી રીતે ચેક કરવું?
તમારા પાન કાર્ડનું સ્ટેટસ ચેક કરવા માટે નીચેના પગલાં અનુસરો:
- આવકવેરા ના ઈ-ફાઇલિંગની વેબસાઇટ પર જાઓ.
- હોમપેજ પર ‘ક્વિક લિંક્સ’ હેડિંગ હેઠળ ‘વેરીફાય પાન સ્ટેટસ’ વિકલ્પ પર ક્લિક કરો.
- તમારો પાન નંબર, નામ, જન્મતારીખ અને મોબાઇલ નંબર દાખલ કરો અને ‘કન્ટીન્યૂ’ બટન પર ક્લિક કરો.
- આગળ તમારા મોબાઇલ નંબર પર મોકલેલ ઓટીપી દાખલ કરો અને ‘વેલિડેટ’ બટન પર ક્લિક કરો.
પાન કાર્ડનું સ્ટેટસ ચેક કરવા માટે જરૂરી પૂર્વજરૂરીયાતો
વ્યક્તિઓને તેમના પાન કાર્ડનું સ્ટેટસ ચકાસવા માટે નીચેની વિગતોની જરૂર પડશે:
- પાન નંબર
- કાર્યરત મોબાઇલ નંબર
પાન કાર્ડ નિષ્ક્રિય થવાના કારણો
- આધાર સાથે લિંક ન હોવું: સરકારે આધાર-પાન લિંક કરવું ફરજિયાત બનાવ્યું હતું અને તેનું પાલન ન થવાને કારણે ઘણા પાન નિષ્ક્રિય થઈ ગયા, જેનાથી તમામ નાણાંકીય વ્યવહારો અટકી ગયા.
- ધારકનું મૃત્યુ: મૃત્યુ પ્રમાણપત્ર અથવા કાનૂની વારસદારની સૂચના મળ્યા પછી અનધિકૃત વ્યક્તિઓ દ્વારા થતી છેતરપિંડીને રોકવા માટે આવકવેરા વિભાગ 30 દિવસની અંદર પાન નિષ્ક્રિય કરી દે છે.
- આઈટી વિભાગ દ્વારા ડુપ્લિકેટ પાનની તપાસ: જ્યારે સિસ્ટમની ભૂલો અથવા છેતરપિંડીને કારણે એક જ વ્યક્તિને એકથી વધુ પાન જારી થયેલા જણાય છે, ત્યારે આઈટી વિભાગ પ્રાથમિક પાનને સક્રિય રાખીને ડુપ્લિકેટ પાનને ઓળખીને નિષ્ક્રિય કરી દે છે.
- છેતરપિંડીની તપાસ અથવા શંકાસ્પદ પ્રવૃત્તિ: આવકવેરા વિભાગ અસામાન્ય વ્યવહારની પેટર્નનું નિરીક્ષણ કરે છે અને તપાસ બાદ શંકાસ્પદ મની લોન્ડરિંગ, કરચોરી અથવા બેનામી વ્યવહારોમાં સામેલ પાનને નિષ્ક્રિય કરી દે છે.
આ પણ વાંચો: ઓનલાઈન પાન કાર્ડ માટે કેવી રીતે અરજી કરવી?
નિષ્ક્રિય પાન કાર્ડને કેવી રીતે સક્રિય કરવું?
નિષ્ક્રિય પાન કાર્ડને ફરીથી સક્રિય કરવા માટે આ પગલાં અનુસરો:
- આવકવેરા વિભાગના ઈ-ફાઇલિંગ પોર્ટલની મુલાકાત લો.
- તમારા પાન અને રજિસ્ટર્ડ ઓળખપત્રોનો ઉપયોગ કરીને લોગ ઇન કરો.
- ક્વિક લિંક્સ સેક્શન હેઠળ ‘લિંક આધાર’ વિકલ્પ પર જાઓ.
- વિનંતી કર્યા મુજબ તમારા પાન અને આધારની વિગતો દાખલ કરો.
- ઉપલબ્ધ ઓનલાઈન ચુકવણી (પેમેન્ટ) મોડ્સ દ્વારા ₹1,000ની પેનલ્ટીની ચૂકવણી કરવા આગળ વધો.
- સફળ ચુકવણી પછી વિનંતી સબમિટ કરો.
- એકવાર પૂર્ણ થયા પછી તમારું પાન સ્ટેટસ ફરીથી સક્રિય થઈ જશે.
આ પણ વાંચો: ઓનલાઈન પાન કાર્ડને કેવી રીતે અપડેટ કરવું?
શું તમારે પાન 2.0 હેઠળ નવા પાન કાર્ડની જરૂર છે?
જ્યાં સુધી તમારે તમારા હાલના પાન રેકોર્ડમાં વિગતો અપડેટ અથવા સુધારવાની જરૂર ન હોય ત્યાં સુધી નવા પાન કાર્ડની જરૂર નથી. પાન 2.0 હેઠળ સુધારા કરવા અથવા વ્યક્તિગત માહિતી અપડેટ કરવા માટે કોઈ વધારાની ફી લેવામાં આવતી નથી. એકવાર ફેરફારોની પ્રક્રિયા થઈ જાય, પછી QR કોડ સાથેનું ઇલેક્ટ્રોનિક પાન તમારા રજિસ્ટર્ડ ઈમેલ એડ્રેસ પર મોકલવામાં આવે છે. જો તમને અપડેટ કરેલા પાન કાર્ડની ભૌતિક નકલ જોઈતી હોય, તો તમે ₹50 ચૂકવીને તેની વિનંતી કરી શકો છો.
ભારતમાં ટેક્સ ભરતા બિન-નિવાસી ભારતીયો પણ ફોર્મ 49A સબમિટ કરીને પાન 2.0 હેઠળ પાન માટે અરજી કરી શકે છે. જો પાન કાર્ડ વિદેશના સરનામે પહોંચાડવાનું હોય તો ₹994ની ફી લાગુ પડે છે, જેમાં અરજી અને ડિસ્પેચ શુલ્કનો સમાવેશ થાય છે.
નિષ્ક્રિય પાન કાર્ડના પરિણામો
નિષ્ક્રિય પાન કાર્ડ હોવાથી અનેક નાણાંકીય અસરો થઈ શકે છે. અહીં ત્રણ મુખ્ય પરિણામો છે, જેની જાણ હોવી જોઈએ.
- પ્રથમ, જ્યારે તમારું પાન નિષ્ક્રિય રહે છે, ત્યારે સ્ટાન્ડર્ડ લાગુ સ્લેબ કરતાં વધુ દરે સોર્સ પર ટેક્સ કપાત અને સોર્સ પર ટેક્સ કલેક્શન લાગુ થશે.
- બીજું, જ્યાં સુધી તમારું પાન ફરીથી સક્રિય ન થાય ત્યાં સુધી તમને મળવાપાત્ર કોઈપણ ટેક્સ રિફંડ પર પ્રક્રિયા કરવામાં આવશે નહીં.
- ત્રીજું, બાકી ટેક્સ રિફંડ પર ચૂકવવાપાત્ર વ્યાજ લાગુ હોય, તો તે સમયગાળા દરમિયાન પણ જમા કરવામાં આવશે નહીં, જ્યારે તમારું પાન નિષ્ક્રિય રહે છે.
આ પણ વાંચો: પાન કાર્ડ અરજીનું સ્ટેટસ કેવી રીતે ચેક કરવું?
નિષ્કર્ષ
નાણાંકીય અને ટેક્સ સંબંધિત વ્યવહારો હાથ ધરતા પહેલા તમારા પાન કાર્ડનું સક્રિય સ્ટેટસ તપાસવું એ એક મહત્વપૂર્ણ પગલું છે. પાન નિષ્ક્રિય થવાના કારણો, ફરીથી સક્રિય કરવાની પ્રક્રિયા અને નિષ્ક્રિય પાનની અસરો સમજવાથી વ્યક્તિઓને પાલન અને નાણાંકીય પ્રવૃત્તિઓમાં અવરોધો ટાળવામાં મદદ મળી શકે છે.

