Skip to main content

એચએનઆઇ કેટેગરી હેઠળ આઇપીઓ માટે કેવી રીતે અરજી કરવી?

6 min readUpdated on 5th Aug, 2026by Angel One
એચએનઆઇ કેટેગરી હેઠળ આઇપીઓ માટે કેવી રીતે અરજી કરવી તે તમે અહીં જાણી શકો છો, જેમાં એચએનઆઇ એલિજીબિલિટી, એપ્લિકેશન પ્રોસેસ, ઇન્વેસ્ટર કેટેગરીઝ અને સંભવિત વળતરને વધારવા માટે એલોટમેન્ટની વિગતોનો સમાવેશ થાય છે.
Share

રિટેલ ઇન્વેસ્ટર્સસ VS હાઇ વેલ્યૂ એપ્લિકેન્ટ રોકાણ કરવાનો અર્થ એ છે કે આઇપીઓ એપ્લિકેશન પ્રોસેસ થોડી અલગ હોય છે. આઇપીઓમાં હાઇ નેટવર્થ ઇન્ડિવિડ્યુઅલની કેટેગરી એવા લોકો માટે છે જેઓ કંપનીઓમાં શેર ખરીદવા માટે મોટી રકમનું રોકાણ કરે છે.

એચએનઆઇ ઇન્વેસ્ટર્સ માટે યુનિક લિમિટ્સ, એલોટમેન્ટના નિયમો અને વિવિધ ફંડિંગ મેથોડ્સ છે. આ માહિતી જાણવાથી તમને વિશ્વાસપૂર્વક અરજી સબમિટ કરવામાં મદદ મળશે અને ઓવરસબ્સ્ક્રાઇબ્ડ પબ્લિક ઓફરિંગમાં શેર મેળવવાની તમારી તકોમાં વધારો થશે.

કી ટેકવેઝ

આઇપીઓમાં એચએનઆઇ અરજીઓ ₹2 લાખથી વધુની બિડ માટે નોન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર કેટેગરી હેઠળ આવે છે.

તમારે એનઆઇઆઇ/એચએનઆઇ ઇન્વેસ્ટર ટાઇપ પસંદ કરવો પડશે, યોગ્ય સંખ્યામાં લોટ પસંદ કરવા પડશે અને યુપીઆઇ (₹5 લાખ સુધી) અથવા નેટ બેંકિંગ દ્વારા એએસબીએ દ્વારા ચુકવણી કરવી પડશે.

ઓવરસબ્સ્ક્રાઇબ થયેલા આઇપીઓમાં, એચએનઆઇ પોર્શન રીઝર્વ ક્વોટાની અંદર પ્રમાણસર અથવા લોટરી ધોરણે ફાળવવામાં આવે છે.

મોટી એપ્લિકેશન્સ લાભ અને નુકસાનમાં વધારો કરે છે અને એલોટમેન્ટ અથવા રિફંડ સુધી ફંડ બ્લોક્ડ રહે છે.

આઇપીઓ અને એચએનઆઇ ઇન્વેસ્ટર્સને સમજો

આઇપીઓ એ એક પ્રોસેસ છે જેના દ્વારા પ્રાઇવેટ કંપની પ્રથમ વખત જાહેર જનતાને તેના શેર ઓફર કરે છે, જે જાહેરમાં ટ્રેડ થાય છે. એકત્ર કરાયેલા ફંડ્સ ગ્રોથ અને ઓપરેશન્સને વેગ આપી શકે છે અને શરૂઆતના રોકાણકારો માટે બહાર નીકળવાની તક પણ પૂરી પાડી શકે છે. આઇપીઓની કિંમત સામાન્ય રીતે કંપનીના વેલ્યૂએશન અને માર્કેટ ડિમાન્ડના આધારે ઇન્વેસ્ટમેન્ટ બેંકો દ્વારા નક્કી કરવામાં આવે છે, જે તેને મૂડી બજારો ટેપ કરવા સક્ષમ બનાવે છે.

સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાએ આઇપીઓ રોકાણકારોને કેટેગરીઝમાં વિભાજિત કર્યા છે, દરેક કેટેગરીમાં રીઝર્વ ક્વોટા છે. આમાંથી, હાઇ નેટ-વર્થ ઇન્ડિવિડ્યુઅલ્સ રીઝર્વ શેર અને અલગ રોકાણ જરૂરિયાતો સાથે એક ખાસ પોઝિશન ધરાવે છે.

એચએનઆઇ તરીકે કોણ ક્વોલિફાય કહેવા છે?

ભારતમાં, એચએનઆઇને એવા નોન-ઇન્સ્ટિટ્યૂશન રોકાણકાર તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે જે આઇપીઓમાં ₹2,00,000 થી વધુનું રોકાણ કરે છે. સેબી માર્ગદર્શિકા મુજબ, આઇપીઓમાં 15% શેર નોન-ઇન્સ્ટિટ્યૂશન ઇન્વેસ્ટર્સ માટે રીઝર્વ રાખવામાં આવે છે. આને નીચે મુજબ વિભાજિત કરવામાં આવે છે:

  • એચએનઆઇ (₹2 L–₹10L): 5%
  • એચએનઆઇ (₹10L થી વધુ): 10%

એચએનઆઇ કેટેગરીમાં ઇન્ડિવિડ્યુઅલ્સ, હિન્દુ અવિભાજિત પરિવારો, નોન-રેસિડેન્ટ ઇન્ડિયન્સ, ફોરેઇન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ, ટ્રસ્ટ અને કંપનીઓનો સમાવેશ થાય છે. આ વિશિષ્ટ સ્ટેટ એચએનઆઇને મોટી બિડ સાઇઝ સાથે એપ્લિકેશન કરવાની મંજૂરી આપે છે, જો સ્ટોક આઇપીઓ લિસ્ટિંગ પછી સારું પ્રદર્શન કરે તો સંભવિત રીવોર્ડ્સ ઓફર કરે છે. એચએનઆઇ, જેમાં લાયક એનઆરઆઇ અને એનઆઇ કેટેગરીમાં અન્ય એન્ટિટીનો સમાવેશ થાય છે, તેમણે એએસબીએનો ઉપયોગ કરીને અરજી કરવી આવશ્યક છે, જે એલોટમેન્ટ અથવા રિફંડ સુધી તમારા બેંક એકાઉન્ટમાં ફંડને બ્લોક કરે છે.

એન્જલ વન સાથે એચએનઆઇ કેટેગરી હેઠળ આઇપીઓ માટે અરજી કરવાના સ્ટેપ્સ

  1. તમારા એન્જલ વન એકાઉન્ટમાં લોગ ઇન કરો: વેબ પોર્ટલ અથવા મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને તમારા એન્જલ વન એકાઉન્ટને ઍક્સેસ કરો.
  2. આઇપીઓ સેક્શનમાં જાઓ: એકવાર લોગ ઇન થયા પછી, આઇપીઓ સેક્શનમાં જાઓ, જ્યાં તમે ચાલુ આઇપીઓ જોઈ શકો છો.
  3. તમારો આઇપીઓ પસંદ કરો: ઉપલબ્ધ લિસ્ટમાંથી તમે જે આઇપીઓ માટે અરજી કરવા માંગો છો તે પસંદ કરો.
  4. એચએનઆઇ ઇન્વેસ્ટર ટાઇપ પસંદ કરો: આગળ વધતા પહેલા ખાતરી કરો કે તમે એચએનઆઇ કેટેગરી પસંદ કરો છો.
  5. લોટની સંખ્યા અને બિડની કિંમત દાખલ કરો: તમે કેટલા લોટ માટે બોલી લગાવવા માંગો છો તે સંખ્યા સ્પષ્ટ કરો અને તમારી બિડ પ્રાઇસ દાખલ કરો.
  6. પેમેન્ટ કરો: જો બિડની રકમ ₹5,00,000 સુધીની હોય, તો તમે તમારા રજીસ્ટર્ડ યુપીઆઇ આઇડીનો ઉપયોગ કરીને પેમેન્ટ પૂર્ણ કરી શકો છો. જોકે, પેમેન્ટ અને બિડની સમસ્યાઓને કારણે એચએનઆઇ માટે એએસબીએ સ્ટાન્ડર્ડ અને વધુ સુરક્ષિત છે. ₹5,00,000 થી વધુ રકમ માટે, તમારે તમારી બેંક અને એપ્લિકેશન લિમિટના આધારે એએસબીએ દ્વારા અરજી કરવાની રહેશે, વધુ રકમ માટે, નેટ બેંકિંગ દ્વારા અથવા તમારી બેંક બ્રાંચની મુલાકાત લઈને એએસબીએ દ્વારા અરજી કરો.
  7. તમારી એપ્લિકેશન કન્ફર્મ કરો અને સબમિટ કરો: તમારી એપ્લિકેશન રીવ્યૂ કરવા માટે "એપ્લાય ફોર આઇપીઓ" પર ક્લિક કરો. એકવાર એચએનઆઇ/એનઆઇઆઇ એપ્લિકેશન સબમિટ થઈ જાય અને મેન્ડેટ મંજૂર થઈ જાય, પછી વર્તમાન સેબી અને બેંક નિયમો મુજબ રકમ ઘટાડવા માટે રદ કરવાની અથવા ફેરફાર કરવાની મંજૂરી ન પણ હોય, તેથી તમારી બિડની કાળજીપૂર્વક સમીક્ષા કરો.
  8. તમારી બિડને ફાઇનલાઇઝ કરો: તમારી બિડને ફાઇન કરવા માટે "કન્ફર્મ" પર ક્લિક કરો.
  9. એલોટમેન્ટ કન્ફર્મેશન માટે રાહ જુઓ: આઇપીઓ એલોટમેન્ટ પ્રોસેસ પછી, તમને તમારા શેર એલોટમેન્ટ અંગે કન્ફર્મેશન પ્રાપ્ત થશે.

એચએનઆઇ આઇપીઓ એપ્લિકેશન્સ માટે મુખ્ય જરૂરિયાતો

  1. મેિનિમમ ઇન્વેસ્ટમેન્ટની જરૂરિયાત: જેમ ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમ, એચએનઆઇએ ₹2,00,000 થી વધુનું રોકાણ કરવું આવશ્યક છે. આ જરૂરિયાત એચએનઆઇને રિટેલ ઇન્ડિવિડ્યુઅલ ઇન્વેસ્ટર્સથી અલગ પાડે છે, જેમની પાસે આઇપીઓ દીઠ ₹2 લાખ સુધીની ઓછી એપ્લિકેશન સાઇઝ લિમિટ હોય છે.
  2. આઇપીઓની કિંમતો પર કોઈ ડિસ્કાઉન્ટ નહીં: અન્ય કેટલીક કેટેગરીઝથી વિપરીત, એચએનઆઇ ઇશ્યૂ પ્રાઇસ પર કોઈપણ ડિસ્કાઉન્ટ માટે પાત્ર નથી. એચએનઆઇ સંપૂર્ણ આઇપીઓ કિંમત ચૂકવે છે, જે મોટી રકમનું રોકાણ કરવાની તેમની ક્ષમતાને પ્રતિબિંબિત કરે છે.
  3. ઓવરસબ્સ્ક્રિપ્શન અને એલોટમેન્ટ મેથોડ: ઓવરસબ્સ્ક્રિપ્શનમાં, એનઆઇઆઇ/એચએનઆઇ ભાગ પ્રમાણસર ધોરણે ફાળવવામાં આવે છે, અને જો માંગ ખૂબ ઊંચી હોય, તો એલોટમેન્ટ સબ-કેટેગરીઝમાં લોટરી દ્વારા નક્કી કરી શકાય છે; એક પણ લોટની કોઈ ગેરંટી નથી.

એચએનઆઇ તરીકે એપ્લિકેશન કરવાના ફાયદા અને જોખમો

એચએનઆઇ તરીકે રોકાણ કરવાથી નોંધપાત્ર લાભ થઈ શકે છે પરંતુ તે ચોક્કસ જોખમો સાથે પણ આવે છે. અહીં કેટલાક મુખ્ય પરિબળો ધ્યાનમાં લેવા જોઈએ.

ફાયદા

  • પ્રાયોરિટી એલોટમેન્ટ: નોન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ માટે 15% ના ડેડિકેટડ ક્વોટા સાથે, એચએનઆઇ રોકાણકારો મોટી બિડ સાથે ભાગ લઈ શકે છે, જે સબ્સ્ક્રિપ્શન લેવલના આધારે કેટલાક આઇપીઓમાં અર્થપૂર્ણ ફાળવણીમાં परिणમિત થઈ શકે છે.
  • નફાની સંભાવના: જો લિસ્ટિંગ પછી આઇપીઓ સ્ટોકમાં વધારો થાય છે, તો HNIs પાસે તેમના મોટા મૂડી ખર્ચને કારણે તેમના રોકાણ પર નોંધપાત્ર વળતર મેળવવાની ક્ષમતા છે.

જોખમો

  • ઓવરસબ્સ્ક્રિપ્શનમાં કોઈ ગેરંટી નથી: જ્યારે એચએનઆઇને પ્રાથમિકતા આપવામાં આવે છે, તેમ છતાં તેઓ ઓવરસબ્સ્ક્રાઇબ્ડ આઇપીઓ માં ભારે સ્પર્ધાનો સામનો કરે છે. આવા કિસ્સાઓમાં, પાર્શિયલ એલોટમેન્ટ થઈ શકે છે, અથવા ભાગ્યે જ કોઇ કિસ્સાઓમાં, કોઈ શેર ફાળવવામાં આવતા નથી.
  • બ્લોક્ડ કેપિટલ: બિડ પ્રાઇસ જેટલી રકમ એલોટમેન્ટ સુધી બ્લોક રહે છે, જે આઇપીઓ પ્રોસેસ પિરીયડ દરમિયાન અન્ય રોકાણો માટે લિક્વિડિટીને મર્યાદિત કરી શકે છે.

આઇપીઓમાં રોકાણકારોના વિવિધ પ્રોફાઇલ્સ

રીટેલ ઇન્ડિવિડ્યુઅલ ઇન્વેસ્ટર્સ

રિટેલ વ્યક્તિગત રોકાણકારોએ વ્યક્તિગત રોકાણકારો છે જેઓ આઇપીઓમાં ₹2,00,000 સુધીનું રોકાણ કરે છે. આ કેટેગરી બ્રોડ પબ્લિક પાર્ટિસિપેશનને પ્રોત્સાહન આપવા માટે રચાયેલ છે, જે રિટેલ રોકાણકારોને પબ્લિક ઓફરિંગમાં રોકાણ કરવા માટે સુલભ માર્ગ પ્રદાન કરે છે.

આરઆઇઆઇને આઇપીઓ શેરના 35% અનામતનો લાભ મળે છે, જે તેમને તેમના રોકાણના કદના સંદર્ભમાં શેરનો નોંધપાત્ર હિસ્સો આપે છે. આરઆઇઆઇ માટે એક નોંધપાત્ર ફાયદો એ છે કે તેઓ "કટ-ઓફ" કિંમતે બિડ મૂકી શકે છે, જ્યાં તેઓ બુક-બિલ્ડિંગ પછી સેટ કરેલા અંતિમ ઇશ્યૂ ભાવે શેર ખરીદવા માટે પ્રતિબદ્ધ છે.

ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ

ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ મ્યુચ્યુઅલ ફંડ્સ, કોમર્શિયલ બેંકો, ફોરેઇન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ અને પબ્લિક ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂશન્સ જેવી મોટી ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂશન્સનું પ્રતિનિધિત્વ કરે છે. આ સંસ્થાકીય રોકાણકારો તેમની નાણાકીય શક્તિ અને નોંધપાત્ર માત્રામાં રોકાણ કરવાની ક્ષમતાને કારણે આઇપીઓ બજારમાં મુખ્ય ભૂમિકા ભજવે છે.

સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા કુલ આઇપીઓ શેરના ઓછામાં ઓછા 50% ક્યુઆઇબી માટે રીઝર્વ રાખવાનો આદેશ આપે છે, જે માંગને સ્થિર કરવામાં અને આઇપીઓમાં વિશ્વસનીયતા લાવવામાં તેમના મહત્વને દર્શાવે છે. ક્યુઆઇબી સેબી-રજિસ્ટર્ડ હોવા જોઈએ, કારણ કે આ કેટેગરીમાં નોંધપાત્ર રોકાણ અને હાયર રેગ્યુલેટરી ઓવરસાઇટનો સમાવેશ થાય છે.

નોન-ઇન્સ્ટિટ્યૂશન ઇન્વેસ્ટર્સ

નોન-ઇન્સ્ટિટ્યૂશન ઇન્વેસ્ટર્સ કેટેગરી હાઇ-નેટ-વર્થ ઇન્ડિવિડ્યુઅલ્સ અને અન્ય હાઇ-વેલ્યૂ ઇન્વેસ્ટર્સ જેમ કે એનઆરઆઇ, ટ્રસ્ટ, હિન્દુ અવિભાજિત પરિવારો અને ચોક્કસ કંપનીઓને પૂરી પાડે છે. આ કેટેગરીમાં એવા વ્યક્તિઓ અને સંસ્થાઓના મોટા રોકાણોનો સમાવેશ થાય છે જે ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ તરીકે લાયક નથી પરંતુ તેમ છતાં નોંધપાત્ર મૂડી લાવે છે.

એનઆઇઆઇ પાસે આઇપીઓમાં 15% અનામત છે, જે તેમને હાઇ ડિમાન્ડ ઓફરિંગમાં ડેડિકેટેડ જગ્યા આપે છે. એનઆઇઆઇ તરીકે લાયક બનવા માટે, રોકાણકારે સામાન્ય રીતે ₹2,00,000 થી વધુ વેલ્યૂના શેર માટે બોલી લગાવવી આવશ્યક છે.

એચએનઆઇ ઇન્વેસ્ટર્સ પર ટેક્સની અસરો

એચએનઆઇ તરીકે, આઇપીઓ શેર પર ટેક્સ રેટ તમારા હોલ્ડિંગ સમયગાળા અને આવકની પ્રકૃતિ (મૂડી ગેઇન Vs ડિવિડન્ડ) પર આધાર રાખે છે. નીચેના રેટ્સ આઇપીઓમાં એચએનઆઇ કેટેગરી પર લાગુ પડે છે, જ્યાં લિસ્ટેડ ઇક્વિટી શેરના વેચાણ પર સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ ચૂકવવામાં આવે છે.

લાભનો પ્રકાર   કર દર / મુક્તિ  
શોર્ટ ટર્મ (12 મહિનાથી ઓછા સમય માટે)  કલમ 111A હેઠળ લાભ પર 20%, પ્લસ લાગુ સરચાર્જ અને 4% સેસ. 
લોંગ ટર્મ (12 મહિનાથી વધુ સમય માટે)  કલમ 112A હેઠળ લિસ્ટેડ ઇક્વિટી શેર/ઇક્વિટી-લક્ષી એકમો પર પ્રતિ નાણાકીય વર્ષ રૂ. 1.25 લાખથી વધુના એલટીસીજી પર 12.5%, ઇન્ડેક્સેશન, પ્લસ સરચાર્જ અને સેસ વગર. 
₹1.25 લાખ સુધીનો ફાયદો  બધા પાત્ર લિસ્ટેડ ઇક્વિટી/ઇક્વિટી-લક્ષી એકમોને સંયુક્ત રીતે નાણાકીય વર્ષ દીઠ છૂટછાટ. 
ડિવિડન્ડ ઇનકમ  તમારા સ્લેબ રેટ લાદવામાં આવે છે (કોઈ ડીડીટી નથી), જો કંપનીની લિમિટ પાર થઇ જાય તો ટીડીએસ લાગુ પડે છે; કુલ ટેક્સ પર સરચાર્જ અને 4% સેસ લાગુ પડે છે. 
કુલ ટેક્સ પર સરચાર્જ (વ્યક્તિઓ/એચએનઆઇ) 

₹50 લાખ–₹1 કરોડ: 10% 

₹1-2 કરોડ: 15% 

₹2-5 કરોડ: 25% 

₹5 કરોડથી વધુ: 

  • નવી પદ્ધતિમાં 25% સુધી
  • જૂની પદ્ધતિમાં 37% સુધી, પ્લસ 4% હેલ્થ અને એજ્યુકેશન સેસ. 

એચએનઆઇ તરીકે અરજી કરવા માટેની મહત્વપૂર્ણ ટિપ્સ

  1. આઇપીઓ ને સંપૂર્ણ એનેલાઇઝ કરો

    અરજી કરતા પહેલા કંપનીના ફાઇનાન્સિયલ હેલ્થ, ઇન્ડસ્ટ્રી પોઝિશન અને માર્કેટની સંભાવનાઓને સમજો. મોટા મૂડી ખર્ચને કારણે સંપૂર્ણ રીસર્ચ જરૂરી બને છે.

  2. માર્કેટ સેન્ટિમેન્ટ્સને ધ્યાનમાં લો

    તાજેતરના આઇપીઓ ના પર્ફોમન્સથી માર્કેટની સ્થિતિ વિશે સંકેત મળી શકે છે. બુલિશ માર્કેટ્સ, હાઇ સબ્સ્ક્રિપ્શન રેટ્સ રોકાણકારોનો મજબૂત રસ દર્શાવે છે, જ્યારે મંદીવાળા બજારોમાં નરમ પ્રતિભાવો જોવા મળી શકે છે.

  3. બેંક એએસબીએ સુવિધા તપાસો

    ખાતરી કરો કે તમારી બેંક આઇપીઓ અરજીઓ માટે એએસબીએ સર્વિસિઝ પૂરી પાડે છે. આ સુવિધા ધરાવતી બેંકો જ આઇપીઓ અરજી માટે જરૂરી ફંડ્સ બ્લોક કરી શકે છે.

  4. સંભવિત ઓવરસબ્સ્ક્રિપ્શન માટે તૈયારી કરો

    ધ્યાનમાં રાખો કે ઓવરસબ્સ્ક્રાઇબ થયેલા આઇપીઓ માં, તમને સંપૂર્ણ એલોટમેન્ટ ન પણ મળે. સારી રીતે ફંડ ધરાવતું બેંક એકાઉન્ટ ખાતરી કરે છે કે તમે પાર્શિયલ એલોટમેન્ટની સંભાવના માટે તૈયાર છો.

નિષ્કર્ષ

એચએનઆઇ તરીકે આઇપીઓ માટે અરજી કરવાથી રોકાણની યુનિક તકો મળે છે, પરંતુ તેના માટે એપ્લિકેશન પ્રોસેસ, રોકાણની જરૂરિયાતો અને સંભવિત પરિણામોની સમજ પણ જરૂરી છે.

પૂરતા ફંડ, માર્કેટ નોલેજ અને સ્ટ્રેટેજીક દ્રષ્ટિકોણ સાથે એચએનઆઇ આઇપીઓ એપ્લિકેશન માટે કેવી રીતે અરજી કરવી તે જાણવાથી એલોટમેન્ટ મેળવવામાં ફરક પડી શકે છે. મિનિમમ ઇન્વેસ્ટમેન્ટની જરૂરિયાત સાથે, HNIs એક અલગ ક્વોટાનો ઉપયોગ કરે છે, જે કેટલાક આઇપીઓ માં એલોટમેન્ટ ઉચ્ચ સંભાવના પૂરી પાડે છે.

FAQs

શું હું રિટેલ અને એચએનઆઇ બંને કેેટેગીરમાંથી એપ્લિકેશન કરી શકું છું?

નાવ્યક્તિ એક જ આઇપીઓ  માટે બંને કેટેગરી હેઠળ અરજી કરી શકતા નથીઆમ કરવાથી એપ્લિકેશન રીજેક્ટ થઈ શકે છે 

શું ₹2,00,000 થી વધુ રોકાણ કરવાથી હું આપમેળે એચએનઆઇ અરજદાર બની જાઉં છું?

હા, ₹2,00,000 થી વધુની કોઈપણ આઇપીઓ એપ્લિકેશન એચએનઆઇ કેટેગરીમાં આવે છે, પછી ભલે તે ઇન્ડિવિડ્યુઅલ ઇન્વેસ્ટર હોય.

જો કોઈ ઓવરસબ્સ્ક્રિપ્શન ન હોય તો શું એચએનઆઇ ગેરંટીડ શેર છે?

હા, ઓવરસબ્સ્ક્રિપ્શનની ગેરહાજરીમાં, બધી માન્ય એચએનઆઇ બિડ્સ શેર મેળવે છે. ઓવરસબ્સ્ક્રિપ્શનના કિસ્સામાં, એલોટમેન્ટ પ્રમાણસર અથવા લોટરી આધારિત હોય છે.

આઇપીઓ માં "કટ-ઓફ" પ્રાઇસ શું છે?

કટ-ઓફ પ્રાઇસ એ ફક્ત રિટેલ રોકાણકારો માટે ઉપલબ્ધ ઓપ્શન છે, જે તેમને કિંમત સ્પષ્ટ કર્યા વિના બોલી લગાવવાની મંજૂરી આપે છે. શેર ફાઇનલ ઇશ્યૂ પ્રાઇસ પર ફાળવવામાં આવે છે.

શું એચએનઆઇ શ્રેણીમાં આઇપીઓ  માટે અરજી કરવાના કોઈ ફાયદા છે?

એચએનઆઇ કેટેગરીમાં આઇપીઓ  માટે અરજી કરવા માટે પૂર્વનિર્ધારિત એલોટમેન્ટ પર્સેન્ટેજ હોય છે, એટલે કે જો તમે એચએનઆઇ કેટેગરીમાં હોવ તો તમને ગેરંટીકૃત શેર ક્વોન્ટિટી મળશે. વધુમાં, કારણ કે એચએનઆઇ સામાન્ય રીતે રિટેલ સહભાગીઓ કરતાં વધુ એલોટમેન્ટ મેળવે છે, તેઓ ઘણીવાર રિટેલ સહભાગીઓ કરતાં આઇપીઓ  ધરાવવાથી વધુ નફાની સંભાવના ધરાવે છે.

એચએનઆઇ તરીકે કોણ લાયક ઠરે છે?

જે લોકો એચએનઆઇ કેટેગરીમાં આઇપીઓ  કેવી રીતે લાગુ કરવો તે જાણવા માંગે છે તેમણે ઓછામાં ઓછું ₹2 લાખનું રોકાણ કરવું પડશે, જે ઇન્ડિવિડ્યુઅલ ઇન્વેસ્ટ, એચયુએફ, એનઆરઆઇ, ટ્રસ્ટ, કોર્પોરેશનો અને ફોરેઇન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સને લાગુ પડશે.

Open Free Demat Account!

Join our 3.5 Cr+ happy customers

+91

Open Free Demat Account!

Join our 3.5 Cr+ happy customers
+91