Skip to main content

સોનાના સિક્કા ખરીદતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો

6 min readUpdated on 10th Aug, 2026by Angel One
સોનાના સિક્કા ખરીદવા એ કિંમતી ધાતુમાં રોકાણ કરવાની એક સારી રીત છે. જો કે, તમે તમારી ખરીદી કરો તે પહેલાં, તમારે શુદ્ધતા, વજન અને હોલમાર્ક જેવા પરિબળોને ધ્યાનમાં લેવાની જરૂર છે.
Share

સોનાના સિક્કા ખરીદવા એ ફિઝિકલ ગોલ્ડ મેળવવાનો એક ઉપયોગી માર્ગ હોઈ શકે છે. આર્થિક અનિશ્ચિતતાના સમયમાં સોનાના સિક્કાને મૂલ્યના સંગ્રહ તરીકે જોવામાં આવે છે, પરંતુ તેનો ઉપયોગ ગીફ્ટ આપવા અને સેવિંગ્સ કરવા માટે પણ મોટા પાયે થાય છે. જોકે, ખરીદી કરતા પહેલા ગ્રાહકોએ તેની શુદ્ધતા, વજન, હોલમાર્કિંગ, મેકિંગ ચાર્જીસ, જીએસટી અને 'બાયબેક' શરતોની ચકાસણી કરવી જોઈએ. રીટેલ ખરીદદારો માટે આ બાબતોની સરખામણી કરવી મહત્વપૂર્ણ છે, કારણ કે તે સીધી રીતે કિંમત, ઓથેન્સિટી અને રીસેલ વેલ્યૂને અસર કરે છે.

કી ટેકવેઝ

  • ભારતમાં સોનાની ખરીદી પર 3% જીએસટી લાગે છે.
  • કેપિટલ ગેઇન્સ પરનો ટેક્સ તે સોનું કેટલા સમય સુધી પોતાની પાસે રાખવામાં આવ્યું હતું તેના પર નિર્ભર કરે છે; જેમાં થતા નફાને 'ટૂંકા ગાળાના' (જેના પર આવકવેરાના સ્લેબ મુજબ કર લાગે છે) અથવા 'લાંબા ગાળાના' (જેના પર 12.5% લેખે ટેક્સ લાગે છે) એમ ક્લાસિફાઇડ કરવામાં આવે છે.
  • નકલી કે ખોટી માહિતીવાળી વસ્તુઓનું રિસ્ક ઘટાડવા માટે ખરીદદારોએ હોલમાર્કિંગ, વજન અને સેલરની વિશ્વસનીયતાની ચકાસણી કરવી જોઈએ.
  • નિર્દિષ્ટ વિસ્તારોમાં સોનાના ઘરેણાં અને કલાકૃતિઓ માટે બીઆઇએસ હોલમાર્કિંગ ફરજિયાત છે, અને હોલમાર્કવાળી વસ્તુઓની ચકાસણી ઓફિશ્યલ બીઆઇએસ સિસ્ટમ દ્વારા કરી શકાય છે.

સોનાના સિક્કા ખરીદવાના ફાયદા

સોનાના સિક્કા ખરીદવાથી સ્પષ્ટ પ્યોરિટી, વજન અને રીસેલ વેલ્યૂ સાથે ફિઝીકલ ગોલ્ડને સંગ્રહિત કરવાની સુવિધાજનક રીત મળે છે. ઘરેણાં કરતાં તેનો સંગ્રહ, ગીફ્ટ અને વેચાણ સરળ હોય છે, અને હોલમાર્કવાળા સિક્કા છૂટક ખરીદદારો માટે વધુ સારી પ્રમાણિકતા અને પારદર્શિતા પ્રદાન કરે છે.

ઘણા ખરીદદારો માટે, સોનાના સિક્કા સેવિંગ્સને ડાયવર્સિફાઇડ કરવા અને મૂર્ત સંપત્તિ રાખવા માટે એક સરળ રીત તરીકે પણ સેવા આપે છે જે માર્કેટની અનિશ્ચિતતા દરમિયાન ઉપયોગી થઈ શકે છે. વિશ્વસનીય અને અધિકૃત વિક્રેતાઓ પાસેથી ખરીદવામાં આવે ત્યારે, ફિઝીકલ ગોલ્ડના અન્ય ઘણા સ્વરૂપો કરતાં તેમની તુલના, ચકાસણી અને રીસેલ સરળ બની શકે છે.

ગોલ્ડ કોઇન્સની ઓથેન્સિટી કેવી રીતે વેરિફાઇ કરવી?

ગોલ્ડ કોઇન્સની ઓથેન્સિટી ચકાસવા માટે, ખરીદી કરતા પહેલા તેની પ્યોરિટી, વજન, હોલમાર્કની વિગતો અને ઇન્વોઇસ તપાસવા જોઈએ. ભારતમાં, એચયુઆઇડી દાખલ કરીને બીઆઇએસ કેર એપ અથવા બીઆઇએસ વેરિફિકેશન ટૂલ્સ દ્વારા હોલમાર્કવાળા સોનાની ચકાસણી કરી શકાય છે. આ ઉપરાંત, સિક્કાનું વાસ્તવિક વજન અને પ્યોરિટી સેલરના બિલમાં દર્શાવેલ વિગતો સાથે મેચ થતા હોવા જોઈએ.

તમે સિક્કાની ડિઝાઈન, માપ અને વજનની સરખામણી સેલર દ્વારા આપવામાં આવેલી વિગતો સાથે પણ કરી શકો છો. વધારાની ખાતરી માટે, જો સિક્કાનું અલગથી પરીક્ષણ કરવામાં આવી રહ્યું હોય, તો BIS-માન્ય 'એસેઇંગ એન્ડ હોલમાર્કિંગ સેન્ટર' પાસેથી ડોક્યુમેન્ટ્સની માંગણી કરો. ઘરે કરવામાં આવતી તપાસ (જેમ કે મેગ્નેટ દ્વારા તપાસ) પૂરતી વિશ્વસનીય હોતી નથી, તેથી તેનો ઉપયોગ માત્ર પ્રાથમિક તપાસ તરીકે જ કરવો જોઈએ.

જો સિક્કા પર હોલમાર્ક હોય, તો તેના પર બીઆઇએસ લોગો, પ્યોરિટી માર્ક અને એચયુઆઇડી તપાસો. જૂના સિક્કાઓ પર કદાચ એચયુઆઇડી ન હોય જો તે વર્તમાન હોલમાર્કિંગ સિસ્ટમ લાગુ થયા પહેલા બનાવવામાં આવ્યા હોય; તેથી, આવા કિસ્સાઓમાં ઇન્વોઇસના રેકોર્ડ્સ અને સેલરના ડોક્યુમેન્ટ્સ ખાસ મહત્વના બની જાય છે.

સોનાના સિક્કાનું વજન અને હોલમાર્ક કેવી રીતે તપાસવા?

સિક્કાનું વજન ચકાસવા માટે તેનું પેકેજિંગ અથવા ઇન્વોઇસ જુઓ. શક્ય હોય તો, પ્રમાણિત વજનકાંટાનો ઉપયોગ કરો. ત્યારબાદ, બીઆઇએસ હોલમાર્કની વિગતો તપાસો, જેમ કે બીઆઇએસ લોગો, પ્યોરિટ માર્ક (જેમ કે 999 અથવા 916) અને જો લાગુ પડતું હોય તો છ-ડિજીટનો એચયુઆઇડી. હોલમાર્કવાળા સોના માટે એચયુઆઇડી જરૂરી હોવા છતાં, જૂના સિક્કાઓ પર તે કદાચ ન પણ હોય. ખાતરી કરવા માટે આ વિગતોની સરખામણી સેલરના સર્ટિફિકેટ અને ખરીદીના ઇન્વોઇસ સાથે કરો.

ભારતમાં સોનાના સિક્કાના લોકપ્રિય પ્રકારો અને તેની વિશેષતાઓ

સોનાના સિક્કા ખરીદવા અને ગીફ્ટ આપવા - બંને માટે ઉત્તમ છે, કારણ કે ભારતમાં તે વિવિધ વજન, ડિઝાઈન અને પ્યોરિટીમાં ઉપલબ્ધ હોય છે. કેટલાક સિક્કા ખાસ કરીને રોકાણ માટે બનાવવામાં આવે છે, જ્યારે અન્ય સિક્કા તહેવારો, ખાસ પ્રસંગો અથવા કલેક્શન માટે પસંદ કરવામાં આવે છે.

  • 24K સોનાના સિક્કા: રોકાણ માટે સૌથી વધુ પસંદગીના અને પ્યોર સિક્કા 24K સોનામાંથી બનેલા હોય છે.
  • ધાર્મિક સોનાના સિક્કા: ધાર્મિક ચિહ્નો અથવા અન્ય શુભ પ્રતીકો ધરાવતા આ સિક્કા ભેટ તરીકે ખૂબ લોકપ્રિય છે.
  • સ્મારક સિક્કા: આ લિમિટેડ-એડિશનવાળા સિક્કા ખાસ પ્રસંગો કે થીમ્સ માટે બહાર પાડવામાં આવે છે અને સામાન્ય રીતે કલેક્ટર્સ દ્વારા ખરીદવામાં આવે છે.
  • વજનના વિવિધ વિકલ્પો: સોનાના સિક્કા નાના અને મોટા સાઇઝમાં (જેમ કે 1 ગ્રામ, 5 ગ્રામ અને 10 ગ્રામ) ઉપલબ્ધ હોવાથી, તે વિવિધ બજેટ માટે અનુકૂળ રહે છે.

સોનાના સિક્કા ખરીદતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો

જો તમે સોનાના સિક્કા ખરીદવાનું આયોજન કરી રહ્યા હોવ, તો તમારે કેટલાક મુખ્ય પરિબળો વિશે જાગૃત રહેવાની જરૂર છે. આ તમને સારી રીતે વિચારેલી ખરીદીનો નિર્ણય લેવામાં મદદ કરશે.

સોનાના સિક્કાની શુદ્ધતા

સોનાના સિક્કા ખરીદતી વખતે તમારે જે પ્રથમ પરિબળ ધ્યાનમાં લેવાની જરૂર છે તે છે તેની પ્યોરીટી લેવલ. સોનાની શુદ્ધતા કેરેટમાં માપવામાં આવે છે. ભારતમાં મોટાભાગની સોનાની વસ્તુઓ ત્રણ મુખ્ય શુદ્ધતા સ્તરોમાં ઉપલબ્ધ છે - 18K (18 કેરેટ), 22K (22 કેરેટ) અને 24K (24 કેરેટ). અહીં આ દરેક સોનાની શુદ્ધતાના સ્તરની ઝડપી ઝાંખી અને તેઓ શું સૂચવે છે તે છે.

  • 18-કેરેટ સોનું: 18K સોનાની વસ્તુઓમાં લગભગ 75% સોનું, 15% ચાંદી અને 10% તાંબુ હોય છે.
  • 22-કેરેટ સોનું: 22K સોનાની વસ્તુઓમાં 91.70% સોનું, 5% ચાંદી, 2% તાંબુ અને 1.30% ઝીંક હોય છે.
  • 24-કેરેટ સોનું: 24K એ તમે મેળવી શકો તે ઉચ્ચતમ શુદ્ધતાનું સ્તર સૂચવે છે અને તેમાં 99.9% સોનું હોય છે.

સોનાની શુદ્ધતાનું સ્તર જેટલું વધારે, સિક્કાની કિંમત તેટલી વધારે. મોટાભાગના વ્યક્તિઓ ઉચ્ચ શુદ્ધતાના સ્તર અને વધુ સારા મૂલ્યના પ્રસ્તાવને કારણે 22K અથવા 24K સોનાના સિક્કા ખરીદવાનું પસંદ કરે છે.

હોલમાર્કિંગ

બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ એ દેશમાં સોના સહિત ઉત્પાદનોની વિશાળ શ્રેણી માટે શુદ્ધતા અને ગુણવત્તાના ધોરણો નક્કી કરવા માટે જવાબદાર સરકારી સંસ્થા છે. બીઆઇએસના નિર્દેશો અનુસાર, તમામ સોનાની વસ્તુઓ 31 માર્ચ, 2023 સુધીમાં ફરજિયાતપણે હોલમાર્ક કરેલી હોવી આવશ્યક છે. આ નિર્દેશ આવશ્યકપણે 01 એપ્રિલ, 2023 થી સિક્કા અથવા ઘરેણાં જેવી નોન-હોલમાર્ક કરેલી સોનાની વસ્તુઓના વેચાણ પર પ્રતિબંધ મૂકે છે. હોલમાર્કિંગ એ પ્રમાણપત્ર પ્રક્રિયા છે જ્યાં સોનાની વસ્તુઓનું શુદ્ધતા, ફાઈનેસ અને વજન માટે બીઆઇએસ હોલમાર્કિંગ સેન્ટર પર સંપૂર્ણ પરીક્ષણ કરવામાં આવે છે.

સોનાના સિક્કાનું વજન

સોનાના સિક્કા 0.25 ગ્રામથી લઈને 100 ગ્રામ સુધીના વિવિધ સાઇઝમાં બનાવવામાં આવે છે. સામાન્ય રીતે, મોટાભાગના વ્યક્તિઓ 1-ગ્રામ સોનાના સિક્કા ખરીદવાનું પસંદ કરે છે. જો કે, જો તમે ખાલી પડેલા ભંડોળમાં રોકાણ કરવાની રીત તરીકે સોનાના સિક્કા જોઈ રહ્યા હોવ, તો ઉચ્ચતમ શક્ય ડીનોમીનેશન માટે પસંદ કરવાનું સલાહભર્યું છે. લોઅર ડીનોમીનેશન માટે પસંદગી કરવાનો અર્થ એ છે કે ઘણા સિક્કાઓ સાથે વ્યવહાર કરવો, જે તેમને સુરક્ષિત રીતે સંગ્રહિત કરવાનું પડકારજનક બનાવી શકે છે.

મેકિંગ ચાર્જીસ

જ્યારે તમે ઝવેરીઓ પાસેથી સોનાના સિક્કા ખરીદો ત્યારે તમારે જે મુખ્ય પરિબળો જોવાની જરૂર છે તેમાંથી એક મેકિંગ ચાર્જ છે. તે એ ચાર્જ છે જે ઝવેરીઓ સોનાની વસ્તુ બનાવવા માટે લે છે. મેકિંગ ચાર્જ સામાન્ય રીતે ટકાવારી તરીકે વ્યક્ત કરવામાં આવે છે પરંતુ તે પ્રતિ-ગ્રામના આધારે પણ લાદવામાં આવી શકે છે. ઉદાહરણ તરીકે, જો સોનાના સિક્કા પર મેકિંગ ચાર્જ 12% હોય અને સિક્કાની કિંમત ₹5,600 હોય, તો મોટાભાગના ઝવેરીઓ ઘણીવાર સોનાના ઘરેણાં માટે હાઇ મેકિંગ ચાર્જ લાદે છે કારણ કે તે ખૂબ જ જટિલ અને બનાવવા માટે પડકારજનક હોય છે. જો કે, સોનાના સિક્કાઓ સાથે, શુલ્ક ઘણીવાર ખૂબ ઓછા હોય છે કારણ કે તે બનાવવું તુલનાત્મક રીતે સરળ છે. તમે જે ઝવેરી પાસેથી ખરીદો છો તેના આધારે, સોનાના સિક્કા માટે મેકિંગ ચાર્જ 8% થી 16% સુધી ગમે ત્યાં હોઈ શકે છે.

ઓથેન્સિટીનું સર્ટિફિકેટ

જ્વેલરી સ્ટોર્સ સોનાના સિક્કાઓનો એકમાત્ર સ્ત્રોત નથી. વાસ્તવમાં, ઘણી બેંકો અને નાણાકીય સંસ્થાઓ પણ અલગ-અલગ શુદ્ધતાના સ્તરવાળા હોલમાર્કવાળા સોનાના સિક્કા વેચે છે. જો કે, જો તમે બેંકો અથવા નાણાકીય સંસ્થાઓ પાસેથી સોનાના સિક્કા ખરીદી રહ્યા હોવ, તો પ્રમાણપત્ર (માંગવાનું યાદ રાખો. તે એક સર્ટિફિકેટ છે જેમાં સિક્કાની વિગતો હોય છે, જેમ કે પ્યોરિટી લેવલ, હોલમાર્કિંગ સેન્ટરની વિગતો અને વજન.

વેચાણનું બિલ

જો તમે ઝવેરી પાસેથી સોનાનો સિક્કો ખરીદો છો, તો વેચાણનું યોગ્ય બિલ લેવાની ખાતરી કરો. બિલમાં ઝવેરીની વિગતો હોવી જોઈએ, જેમ કે તેમના બિઝનેસનું નોંધાયેલ નામ, જીએસટી રજીસ્ટ્રેશન નંબર અને સરનામું. વધુમાં, વેચાણના બિલમાં ખરીદેલ સોનાના સિક્કાની વિગતો પણ સ્પષ્ટપણે જણાવવી જોઈએ, જેમાં વજન, સોનાની વર્તમાન પ્રતિ-ગ્રામ કિંમત અને કેરેટમાં સોનાનું પ્યોરિટી લેવલ શામેલ છે. વેચાણનું માન્ય બિલ હોવાથી ભવિષ્યમાં સોનાના સિક્કા વેચવાનું ઘણું સરળ બની શકે છે.

સોનાના સિક્કા વેચવા

બજારમાં સોનાના સિક્કા વેચવા પડકારજનક હોઈ શકે છે, ખાસ કરીને કારણ કે ભારતીય રિઝર્વ બેંકના નિયમો બેંકો અને નાણાકીય સંસ્થાઓને સોનાના સિક્કા ખરીદતા અટકાવે છે. તમે પ્રમાણિત ઝવેરીને વેચીને હંમેશા સોનાના સિક્કાને રોકડમાં રૂપાંતરિત કરી શકો છો.

ટેક્સેશન

આવકવેરાના નિયમો હેઠળ સોનાના સિક્કાને કેપિટલ એસેટ તરીકે ગણવામાં આવે છે.

  • શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન્સ: જો 24 મહિનાની અંદર વેચવામાં આવે, તો નફા પર વ્યક્તિના આવકવેરાના સ્લેબ મુજબ કર લાગે છે.
  • લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ: જો 24 મહિનાથી વધુ સમય માટે રાખવામાં આવે, તો નફા પર ઇન્ડેક્સેશન વિના 125% ના દરે કર લાગે છે.
  • GST: ખરીદી સમયે 3% જીએસટી લાગુ પડે છે.

નોંધ: 24 મહિનાનો હોલ્ડિંગ પિરિયડ ખાસ કરીને ફિઝીકલ ગોલ્ડ, સોનાના સિક્કા અને ડિજિટલ સોના પર લાગુ પડે છે. ગોલ્ડ ઇટીએફ, લિસ્ટેડ સિક્યોરિટીઝ હોવાથી, માત્ર 12 મહિના પછી એલટીસીજી માટે લાયક ઠરે છે, જે તેમને મધ્યમ ગાળાના રોકાણકારો માટે સંભવિત રીતે વધુ કર-કાર્યક્ષમ બનાવે છે. વધુમાં, 23 જુલાઈ, 2024 પહેલાં વેચાયેલા ફિઝીકલ સોના માટે, ઇન્ડેક્સેશન સાથે 20% નો અગાઉનો રેટ લાગુ કરવામાં આવ્યો હતો.

નિષ્કર્ષ

સોનાના સિક્કા ખરીદવા એ ફિઝીકલ ગોલ્ડ મેળવવાનો એક વ્યવહારુ રસ્તો હોઈ શકે છે, પરંતુ ખરીદદારોએ ખરીદી કરતા પહેલા પ્યોરિટી, વજન, હોલમાર્કિંગ, મેકિંગ ચાર્જ, જીએસટી અને બાયબેક શરતો ચકાસવી જોઈએ. યોગ્ય ઇન્વોઇસ અને ડોક્યુમેન્ટ્સ સાથે હોલમાર્ક કરેલા સિક્કા ચકાસવા અને ફરીથી વેચવા સરળ છે. જે લોકો ફિઝીકલ ગોલ્ડ સંગ્રહિત કરવાનું પસંદ કરતા નથી, તેમના માટે સોવરિન ગોલ્ડ બોન્ડ અથવા ગોલ્ડ ઇટીએફ જેવા વિકલ્પો સંગ્રહ-સંબંધિત ચિંતાઓ વિના સોનામાં રોકાણનો ઓપ્શન પૂરો પાડે છે.

FAQs

સોનાના સિક્કાનું મૂલ્ય કયા પરિબળો નક્કી કરે છે?

સોનાના સિક્કાનું મૂલ્ય સિક્કાનું વજન, શુદ્ધતા અને સોનાની વર્તમાન બજાર કિંમત જેવા અનેક વિવિધ પરિબળો દ્વારા નક્કી કરવામાં આવે છે. 

હું સોનાના સિક્કા ક્યાંથી ખરીદી શકું?

તમે ઝવેરીઓ અથવા બેંકો પાસેથી સોનાના સિક્કા ખરીદી શકો છો. જોકે, બેંકો સામાન્ય રીતે બાયબેક સુવિધાઓ આપતી નથી, તેથી ખરીદી કરતા પહેલા રીસેલ ઓપ્શનનો વિચાર કરવો જોઈએ. સિક્કા ખરીદતી વખતે, પ્રમાણપત્ર માંગવાનું યાદ રાખો. આ ખરીદેલ સોનાના સિક્કાની પ્યોરિટી અને અન્ય વિશિષ્ટતાઓના પુરાવા તરીકે કામ કરશે. 

શું સોનાના સિક્કા ખરીદવા સાથે કોઈ જોખમો જોડાયેલા છે?

હા. અન્ય કોઈપણ રોકાણ વિકલ્પની જેમ, સોનાના સિક્કાઓમાં પણ કેટલાક જોખમો હોય છે જેના વિશે તમારે જાગૃત રહેવાની જરૂર છે. બજારમાં વધઘટ, નકલી સિક્કા અને ઓછી શુદ્ધતાનું સોનું એ કેટલાક એવા પડકારો છે જેને તમારે પાર કરવાની જરૂર છે. તમે પ્રતિષ્ઠિત અને અધિકૃત સેલર પાસેથી ખરીદી કરીને આમાંના મોટાભાગના જોખમોને ઘટાડી શકો છો. 

હું સોનાના સિક્કાની અધિકૃતતા કેવી રીતે ચકાસી શકું?

બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ અનુસાર, દરેક સોનાના સિક્કા અથવા ઘરેણાં પર હોલમાર્ક હોવું ફરજિયાત છે. સોનાની વસ્તુ પર બીઆઇએસ હોલમાર્ક લોગોની હાજરી સોનાના સિક્કાની અધિકૃતતાના પ્રમાણપત્ર તરીકે કામ કરે છે. સોનાના સિક્કા પર બીઆઇએસ લોગો, એસેઈંગ અને હોલમાર્કિંગ સેન્ટરનો લોગો, કેરેટમાં શુદ્ધતાનું સ્તર અને ઝવેરીનો આઇડી હોવો આવશ્યક છે. 

શું હું સરળતાથી ગોલ્ડ કોઇન્સ વેચી શકું છે?

ભારતીય રિઝર્વ બેંક ના આદેશ મુજબ, બેંકો અને નાણાકીય સંસ્થાઓને સોનાના સિક્કા ખરીદવાની મનાઈ છે. જો કે, તમે તમારા સોનાના સિક્કા પ્રમાણિત ઝવેરીને વેચી શકો છો. જો તમે વેચવા માંગતા ન હોવ, તો તમે તમારા નાણાકીય ખર્ચને પહોંચી વળવા માટે લોન મેળવવા માટે તમારા સોનાના સિક્કાને કોલેટરલ તરીકે ગીરો મૂકી શકો છો. 

ગોલ્ડ કોઇન્સ કેવી રીતે ખરીદી શકાય?

વિશ્વસનીય સેલર પાસેથી સોનાના સિક્કા ખરીદો અને ચુકવણી કરતા પહેલા સિક્કાની શુદ્ધતા, વજન, હોલમાર્કની વિગતો, ઇન્વોઇસ, ઉત્પાદન ખર્ચ અને 'બાયબેક' શરતોની ચકાસણી કરો. સામાન્ય રીતે, બીઆઇએસ હોલમાર્કની વિગતો અને યોગ્ય દસ્તાવેજો ધરાવતા સિક્કાઓની ચકાસણી કરવી અને તેમને ફરીથી વેચવા સરળ હોય છે. 

Open Free Demat Account!

Join our 3.8 Cr+ happy customers
+91