Skip to main content

મિનિમમ સપોર્ટ પ્રાઇસ શું છે અને શું તે ખરેખર ખેડૂતોને ફાયદો આપે છે?

6 min readUpdated on 8th Aug, 2026by Angel One
લઘુત્તમ ટેકાના ભાવ એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ એ સરકારની એક નીતિ છે જે ખેડૂતોને બજારમાં ભાવ ઘટાડાથી બચાવવા અને કૃષિ આવક તથા ફૂડ પ્રોક્યૂરમેન્ટમાં સ્થિરતા લાવવા માટે પસંદ કરેલા પાકો માટે લઘુત્તમ ભાવ નક્કી કરે છે.
Share

મિનિમમ સપોર્ટ પ્રાઇસ એ ભારતીય કૃષિમાં ખેડૂતોને પાકના ભાવમાં અચાનક ઘટાડાથી બચાવવા માટે વપરાતી પોલિસી છે. એમએસપી શું છે તે સમજવાથી એ જાણવામાં મદદ મળે છે કે સરકાર વાવણીની સીઝન પહેલાં અમુક પાકો માટે લઘુત્તમ ભાવ કેવી રીતે નક્કી કરે છે. જો બજારના ભાવ આ લેવલથી નીચે જાય, તો ખેડૂતો તેમનો પાક એમએસપી પર વેચી શકે છે, જે નાણાકીય નુકસાનનું જોખમ ઘટાડવામાં અને સ્થિર કૃષિ આવકને ટેકો આપવામાં મદદ કરે છે.

મુખ્ય મુદ્દાઓ

  • મિનિમમ સપોર્ટ પ્રાઇસ એ સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ ન્યૂનતમ ભાવ છે જે ખેડૂતોને પાકના બજારોમાં ભાવના તીવ્ર ઘટાડાથી બચાવે છે.
  • એમએસપી ની ભલામણ એગ્રીકલ્ચરલ કોસ્ટ એન્ડ પ્રાઇસિસ કમિશન દ્વારા કરવામાં આવે છે અને વાવણીની સીઝન પહેલાં જાહેર કરવામાં આવે છે.
  • તે ખેડૂતોની આવક અને ખાદ્ય સુરક્ષાને ટેકો આપવા માટે મુખ્ય અનાજ, કઠોળ, તેલીબિયાં અને કોમર્શિયલ પાકો પર લાગુ થાય છે.
  • એમએસપી બફર સ્ટોક અને જાહેર વિતરણ પ્રણાલી માટે સરકારી પ્રાપ્તિમાં પણ મદદ કરે છે.

મિનિમમ સપોર્ટ પ્રાઇસ શું છે?

મિનિમમ સપોર્ટ પ્રાઇસ એ ભારત સરકાર દ્વારા ચોક્કસ કૃષિ પાકો માટે નક્કી કરવામાં આવેલ ન્યૂનતમ ભાવ છે જેથી ખેડૂતોને બજારમાં ભાવના અચાનક ઘટાડાથી બચાવી શકાય. જો બજારના ભાવ આ સ્તરથી નીચે જાય, તો સરકાર એમએસપી પર ચોક્કસ પાકોની ખરીદી કરી શકે છે, જેથી ખેડૂતોને તેમના ઉત્પાદન માટે ગેરન્ટીડ ન્યૂનતમ મૂલ્ય મળે છે.

એમએસપી નો ખ્યાલ 1960 ના દાયકામાં હરિયાળી ક્રાંતિ દરમિયાન ઉભરી આવ્યો હતો જ્યારે ભારતે કૃષિ ઉત્પાદનને સ્થિર કરવા અને ખેડૂતોની આવકને ટેકો આપવા માટે પોલિસીઓ રજૂ કરી હતી. એમએસપી ની ભલામણ એગ્રીકલ્ચરલ કોસ્ટ એન્ડ પ્રાઇસિસ કમિશન દ્વારા કરવામાં આવે છે અને ખેડૂતોને પાકની ખેતી અંગે જાણકાર નિર્ણયો લેવામાં મદદ કરવા માટે વાવણીની સીઝન પહેલાં જાહેર કરવામાં આવે છે.

એગ્રીકલ્ચર પોલિસીમાં એમએસપી શા માટે મહત્વનું છે

એમએસપી એગ્રીકલ્ચર પોલિસી એગ્રીકલ્ચરલ માર્કેટમાં ભાવની તીવ્ર વધઘટથી ખેડૂતોને બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તે ચોક્કસ પાકો માટે ન્યૂનતમ ગરેન્ટીડ ભાવ પૂરો પાડે છે, જે ખેડૂતોને બજારના ભાવ ઘટી જાય ત્યારે મુશ્કેલીમાં વેચાણ ટાળવામાં મદદ કરે છે. આ પ્રાઇસ ગેરન્ટી આપીને, એમએસપી ખેતીની આવકમાં સ્થિરતા લાવે છે અને ખેડૂતોને પાક ઉત્પાદન ચાલુ રાખવા પ્રોત્સાહિત કરે છે. તે સરકારને પબ્લિક ડિસ્ટ્રીબ્યૂશન માટે અનાજની પ્રાપ્તિ કરવામાં અને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષાને સપોર્ટ આપવા માટે બફર સ્ટોક જાળવવામાં પણ મદદ કરે છે.

આ પણ વાંચો: કૃષિ આવક શું છે?

એમએસપી હેઠળ આવરી લેવાયેલ પાકોની યાદી

સરકાર ખેડૂતોને તેમના ઉત્પાદન માટે ન્યૂનતમ ભાવ મળે તેની ખાતરી કરવા માટે ઘણી એગ્રીકલ્ચરલ કોમોડિટીઝ માટે એમએસપી જાહેર કરે છે. પાકો માટેના એમએસપી માં મુખ્ય અનાજ, કઠોળ, તેલીબિયાં અને કોમર્શિયલ પાકોનો સમાવેશ થાય છે. એમએસપી પાકોની યાદીમાં 22 મુખ્ય પાકોનો સમાવેશ થાય છે, સાથે તોરિયા અને છોડા ઉતારેલા નાળિયેર, જેનો એમએસપી સંબંધિત પાકો સાથે જોડાયેલ છે. આ ભાવ સામાન્ય રીતે એગ્રીકલ્ચરલ કોસ્ટ એન્ડ પ્રાઇસિસ કમિશનની ભલામણોના આધારે વાવણીની સીઝન પહેલાં જાહેર કરવામાં આવે છે.

ખરીફ પાકો

  • ડાંગર
  • જુવાર
  • બાજરી
  • રાગી
  • મકાઈ
  • તુવેર
  • મગ
  • અડદ
  • મગફળી
  • સૂર્યમુખીના બીજ
  • સોયાબીન (પીળા)
  • તલ
  • નાઈજર સીડ
  • કપાસ

રવિ પાકો

  • ઘઉં
  • જવ
  • ચણા
  • મસૂર
  • રેપસીડ અને સરસવ
  • કુસુમ

કોમર્શિયલ પાકો

  • કોપરા
  • શણ

એમએસપી ના ફાયદા

  • સ્થિર આવકની ખાતરી: એમએસપી એક સુરક્ષા કવચ તરીકે કામ કરે છે, જે ખેડૂતોને સ્થિર આવકની ખાતરી આપે છે. બજારની અનિશ્ચિત પરિસ્થિતિઓ દરમિયાન આ ખૂબ જ મહત્વપૂર્ણ છે, જે નાણાકીય સ્થિરતા પ્રદાન કરે છે.
  • વ્યાપક ભાવ વિચારણાઓ: એમએસપી કૃષિ ઉત્પાદનને અસર કરતા વિવિધ પરિબળોને ધ્યાનમાં લે છે. આમ કરવાથી ખેડૂતોને બજારની અનિશ્ચિતતાઓથી બચાવે છે, જે વધુ સુસંગત આવકની ખાતરી આપે છે.
  • જાહેર વિતરણ અને ખાદ્ય સુરક્ષામાં યોગદાન: એમએસપી પબ્લિક ડિસ્ટ્રીબ્યૂશન સિસ્ટમ માટે ઉત્પાદન પૂરું પાડવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે, જે રાષ્ટ્રીય સ્તરે ખાદ્ય સુરક્ષાની ખાતરી કરે છે. બફર સ્ટોકનું સર્જન આવશ્યક કોમોડિટીઝનો વિશ્વસનીય પુરવઠો જાળવી રાખે છે.
  • બજારના ભાવ અને ઇકોનોમિકલ એલાન્મેન્ટ પર પ્રભાવ: ઇન્ડિવિડ્યુઅલ ખેડૂતો ઉપરાંત, એમએસપી માર્કેટ પ્રાઇસને નોંધપાત્ર રીતે અસર કરે છે. આ પ્રભાવ ખેડૂતોને ઉત્પાદન વધારવા પ્રોત્સાહિત કરે છે, જે એકંદર આર્થિક સ્થિરતામાં ફાળો આપે છે.

મિનિમમ સપોર્ટ પ્રાઇસ નક્કી કરવાના પગલાં

મિનિમમ સપોર્ટ પ્રાઇસની ભલામણ એગ્રીકલ્ચરલ કોસ્ટ એન્ડ પ્રાઇસિસ કમિશન દ્વારા અનેક આર્થિક અને કૃષિ પરિબળોનું એનાલિસિસ કર્યા પછી કરવામાં આવે છે. આ પરિબળો એ સુનિશ્ચિત કરવામાં મદદ કરે છે કે એમએસપી દરેક પાક સીઝન માટે જાહેર કરવામાં આવે તે પહેલાં ઉત્પાદન ખર્ચ, બજારની સ્થિતિ અને ખેડૂતો માટે યોગ્ય વળતરને દર્શાવે છે.

  • ખેતીનો ખર્ચ: સરકાર પાક ઉગાડવામાં સામેલ કુલ ખર્ચનો અભ્યાસ કરે છે, જેમાં બિયારણ, ખાતર, સિંચાઈ, મજૂરી અને અન્ય ખેતીના ઇનપુટ્સ પરનો ખર્ચ સામેલ છે.
  • માંગ અને પુરવઠાની સ્થિતિ: બજારમાં પાકની અછત કે વધારો થવાની સંભાવના છે કે કેમ તે સમજવા માટે પ્રોડક્શન લેવલ અને વપરાશની પેટર્ન તપાસવામાં આવે છે.
  • પ્રવર્તમાન બજારના ભાવ: સ્થાનિક અને વૈશ્વિક ભાવના વલણોને ધ્યાનમાં લેવામાં આવે છે જેથી એમએસપી બ્રોડર માર્કેટ કન્ડિશન્સ સાથે સુસંગત રહે.
  • પાકો વચ્ચે ભાવ સંતુલન: ઇન્સેન્ટિવ સ્ટ્રક્ચર જાળવવા અને અમુક પાકો પર વધુ પડતું ફોકસ ટાળવા માટે વિવિધ પાકોના ભાવોની સરખામણી કરવામાં આવે છે.
  • એગ્રીકલ્ચર Vs નોન-એગ્રીકલ્ચર ટ્રેડની શરતો: ખેડૂતોને વાજબી વળતર મળે તે સુનિશ્ચિત કરવા માટે અર્થતંત્રમાં ખેતીના ઉત્પાદનના ભાવ અને અન્ય ચીજવસ્તુઓ વચ્ચેના સંબંધનું મૂલ્યાંકન કરવામાં આવે છે.

અન્ય પાસાો

મુખ્ય પરિબળો સિવાય, એમએસપી ની ભલામણ કરતી વખતે અનેક વધારાના પાસાઓની સમીક્ષા કરવામાં આવે છે:

  • એગ્રીકલ્ચરલ ઇનપુટ ખર્ચમાં ફેરફાર
  • ઇનપુટ અને આઉટપુટ ભાવો વચ્ચેનો સંબંધ
  • ઓવરઓલ ઇન્ડસ્ટ્રીઅલ ખર્ચ પર અસર
  • કોસ્ટ ઓફ લિવિંગ પર અસરો
  • સરકારી સબસિડી માટેના ગર્ભિતાર્થો
  • લાંબા ગાળાના ખેડૂત આવકના સ્તરો

લેટેસ્ટ મિનિમમ સપોર્ટ પ્રાઇસ

ભારત સરકાર દર વર્ષે એગ્રીકલ્ચરલ કોસ્ટ એન્ડ પ્રાઇસિસ કમિશનની ભલામણોના આધારે મિનિમમ સપોર્ટ પ્રાઇસમાં સુધારો કરે છે. ખેડૂતોને તેમના પાક માટે ન્યૂનતમ વળતર મળે તેની ખાતરી કરવા માટે આ ભાવો વાવણીની સીઝન પહેલાં જાહેર કરવામાં આવે છે. નીચેનું કોષ્ટક 2024–25 ની તુલનામાં 2025–26 માર્કેટિંગ સીઝન માટે મુખ્ય પાકોના એમએસપી મૂલ્યો દર્શાવે છે.

કોમોડિટી   વેરાયટી   2024–25 એમએસપી (₹/ક્વિન્ટલ)   2025–26 એમએસપી (₹/ક્વિન્ટલ) 
ડાંગર  કોમન  ₹2300  ₹2369 
ડાંગર  ગ્રેડ ‘A’  ₹2320  ₹2389 
જુવાર  હાઇબ્રિડ  ₹3371  ₹3699 
જુવાર  માલદંડી  ₹3421  ₹3749 
બાજરી  —  ₹2625  ₹2775 
રાગી  —  ₹4290  ₹4886 
મકાઈ  —  ₹2225  ₹2400 
તુવેર (અરહર)  —  ₹7550  ₹8000 
મગ  —  ₹8682  ₹8768 
અડદ  —  ₹7400  ₹7800 
મગફળી  —  ₹6783  ₹7263 
સૂર્યમુખીના બીજ  —  ₹7280  ₹7721 
સોયાબીન (પીળી)  —  ₹4892  ₹5328 
તલ  —  ₹9267  ₹9846 
નાઈજર સીડ  —  ₹8717  ₹9537 
કપાસ  મીડિયમ સ્ટેપલ  ₹7121  ₹7710 
કપાસ  લોંગ સ્ટેપલ  ₹7521  ₹8110 
ઘઉં  —  ₹2425  ₹2585 
જવ  —  ₹1980  ₹2150 
ચણા  —  ₹5650  ₹5875 
મસૂર  —  ₹6700  ₹7000 
રેપસીડ અને સરસવ  —  ₹5950  ₹6200 
કુસુમ  —  ₹5940  ₹6540 
કોપરા  મિલિંગ  ₹11582  ₹12027 
કોપરા  બોલ  ₹12100  ₹12500 
શણ  —  ₹5335  ₹5650 

ડિસ્ક્લેમર: ઉપર જણાવેલ એમએસપી 12 ડિસેમ્બર, 2025 સુધીના છે. 

સુધારણા માટેની તકો 

  • ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની જરૂરિયાત: જ્યારે એમએસપી લેવલ્સમાં ફેરફાર ખેડૂતોની આવકને પ્રભાવિત કરી શકે છેત્યારે લાંબા ગાળાની અસર માટે કૃષિ માળખામાં એકસાથે રોકાણ આવશ્યક છેભાવમાં વધારાને સુધારેલા માળખા સાથે જોડવું ખૂબ મહત્વનું છે. 

  • ખર્ચની વિચારણાઓ અને સર્વગ્રાહી મૂલ્યાંકન: એમએસપી હાલમાં ચોક્કસ ખર્ચને આવરી લે છેપરંતુ વ્યાપક ખર્ચને સામેલ કરવા અંગેની ડીબેટ હજુ પણ યથાવત છે. આ ચિંતાઓને દૂર કરવા અને વાજબી રીટર્નની ખાતરી કરવા માટે સાવચેતીપૂર્વક મૂલ્યાંકન જરૂરી છે. 

  • ફુગાવાની અસરને સંતુલિત કરવી: એમએસપી માં મોટો વધારોખેડૂતો માટે ફાયદાકારક હોવા છતાંખાદ્ય પદાર્થોના ભાવ અને અર્થતંત્રને અસર કરી શકે છેખેડૂતોને વ્યાપક આર્થિક પડકારો ઉભા કર્યા વગર લાભ મળે તે માટે સંતુલન જાળવવું મહત્વપૂર્ણ છે. 

  • પ્રાદેશિક અસમાનતાઓને સંબોધવી: એમએસપી ને દેશભરમાં લાગુ કરવાથી ઉત્પાદન ખર્ચમાં પ્રાદેશિક તફાવતો ધ્યાનમાં લેવાતા નથીખેડૂતોમાં લાભોનું વધુ સમાનરૂપે વિતરણ કરવા માટે આ અસમાનતાઓને દૂર કરવી જરૂરી છે. 

  • કોન્સેપ્ટ અને રિયાલિટી વચ્ચેના અંતરને દૂર કરવુંજ્યારે બજારના ભાવ એમએસપી થી નીચે જાય ત્યારે ખેડૂતો સરકારની ખરીદ એજન્સીઓને અમુક પાક વેચી શકે છેપરંતુ પ્રેક્ટિકલ પડકારો સરળ એક્ઝીક્યુશનમાં અવરોધ લાવી શકે છેસિસ્ટમ સરળતાથી કામ કરે તે માટે આ પડકારોને દૂર કરવા જરૂરી છે. 

  • એમએસપી ની પહોંચ વિસ્તારવી: 22 પાકો માટે એમએસપી જાહેર કરવામાં આવવા છતાંશેરડીને અલગથી ફેર એન્ડ રેમ્યુનરેટિવ પ્રાઇસ હેઠળ આવરી લેવામાં આવે છેઅસરકારક પ્રાપ્તિ માત્ર થોડા પાકો સુધી મર્યાદિત છેપાકોની વ્યાપક રેન્જ પર તેની સકારાત્મક અસરને વધારવા કરવા માટે તેની પહોંચ વિસ્તારવી મહત્વપૂર્ણ છે. 

  • એમએસપી ને માત્ર એક ઘટક તરીકે ઓળખવુંએકમાત્ર ઉકેલ નહીં: જ્યારે એમએસપી મહત્વપૂર્ણ છેત્યારે એ પણ સ્વીકારવું જરૂરી છે કે તે ખેડૂતોની સામે આવતા તમામ પડકારોનો એકમાત્ર ઉકેલ નથીસતત કૃષિ વિકાસ માટે ટેક્નોલોજીકલ એડવાન્સમેન્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટને સમાવિષ્ટ કરતો સર્વગ્રાહી અભિગમ જરૂરી છે. 

નિષ્કર્ષ

મિનિમમ સપોર્ટ પ્રાઇસ ખેડૂતોને પાકના ભાવમાં અચાનક ઘટાડાથી બચાવવામાં અને કૃષિ આવકમાં સ્થિરતા સુનિશ્ચિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. વાવણીની સીઝન પહેલાં એમએસપી જાહેર કરીને, સરકાર ખેડૂતોને ભાવનું બેન્ચમાર્ક પૂરું પાડે છે જે તેમને પાક ઉત્પાદન અને નાણાકીય નિર્ણયોનું આયોજન કરવામાં મદદ કરે છે. તે જ સમયે, એમએસપી જાહેર વિતરણ માટે આવશ્યક પાકોની પ્રાપ્તિને સક્ષમ કરીને ખાદ્ય સુરક્ષાને પણ ટેકો આપે છે. જો કે, માળખાકીય સુવિધાઓ, પ્રોક્યોરેમન્ટ સિસ્ટમ્સ અને માર્કેટ સુધી પહોંચમાં સુધારો કરવો એ દેશભરના વધુ ખેડૂતો સુધી એમએસપી ના લાભો પહોંચાડવા માટે મહત્વપૂર્ણ છે.

FAQs

એમએસપીનો અર્થ શું છે?

એ ભારતીય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી સુરક્ષા છે જે ખેડૂતોને તેમના પાકના ભાવમાં થતા ભારે ઘટાડાથી બચાવે છે. તે એક નાણાકીય સુરક્ષા કવચ તરીકે કામ કરે છે, જે કૃષિ ઉત્પાદન માટે ન્યૂનતમ ભાવની ખાતરી આપે છે.

એમએસપી ની ગણતરી કેવી રીતે થાય છે?

એમએસપી ની ગણતરીમાં ખેતીનો ખર્ચપુરવઠા અને માંગની સ્થિતિબજારના વલણો અને ગ્રાહકો તથા પર્યાવરણ પર તેની અસર જેવા વિવિધ પરિબળોને ધ્યાનમાં લેવામાં આવે છેએગ્રીકલ્ચરલ કોસ્ટ એન્ડ પ્રાઇસિસ કમિશન આ મૂલ્યાંકનોના આધારે એમએસપી ની ભલામણ કરે છેજે પછી ભારત સરકારની કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સ દ્વારા મંજૂર કરવામાં આવે છે. 

ભારતમાં એમએસપી કોણ નક્કી કરે છે?

22 પાકો માટેના લઘુત્તમ ટેકાના ભાવની ભલામણ એગ્રીકલ્ચરલ કોસ્ટ એન્ડ પ્રાઇસિસ કમિશન દ્વારા કરવામાં આવે છે અને ભારત સરકારની કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સ  દ્વારા મંજૂર કરવામાં આવે છે.આ ભાવો એગ્રીકલ્ચરલ કોસ્ટ એન્ડ પ્રાઇસિસ કમિશનની ભલામણોના આધારે વાવણીની સીઝન પહેલાં નક્કી કરવામાં આવે છે. 

એમએસપી અને એમઆરપી વચ્ચે શું તફાવત છે?

એમએસપી, મિનિમમ સપોર્ટ પ્રાઇસ, એ ખેડૂતોને તેમના પાક માટે ચૂકવવામાં આવતો ખાતરીપૂર્વકનો ભાવ છે. તેનાથી વિપરીત, એમઆરપી, મેક્સિમમ રીટેલ પ્રાઇસ, એ ગ્રાહક વસ્તુઓ માટેની સૌથી વધુ માન્ય કિંમત છે. મુખ્ય તફાવત તેમના ઉપયોગમાં રહેલો છે - એમએસપી કૃષિ ઉત્પાદનો સાથે સંબંધિત છે, જ્યારે એમઆરપી છૂટક વસ્તુઓ સાથે સંબંધિત છે, જેમાં વેપાર એક મધ્યસ્થી તરીકે કામ કરે છે.

એમએસપી ખેડૂતો માટે શા માટે સારું છે?

એમએસપી ખેડૂતો માટે ફાયદાકારક છે કારણ કે તે સુરક્ષા કવચ પૂરું પાડે છે, જે તેમના પાક માટે ગેરંટીડ લઘુતમ ભાવની ખાતરી આપે છે. આ સરકારી ખાતરી સાથે, જો અન્યત્ર સારા ભાવ ઉપલબ્ધ ન હોય તો ખેડૂતો એમએસપી પર તેમનો પાક વેચી શકે છે. એમએસપી ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ બેન્ચમાર્ક બની જાય છે, જે તેમને તેમના નાણાંનું આયોજન કરવામાં અને ઉધાર લેવા અંગેના નિર્ણયો લેવામાં મદદ કરે છે, આમ બજારની અસ્થિર પરિસ્થિતિઓમાં સ્થિરતા અને ટેકો આપે છે.

મિનિમમ સપોર્ટ પ્રાઇસ અને ઇશ્યુ પ્રાઇસ વચ્ચે શું તફાવત છે?

મિનિમમ સપોર્ટ પ્રાઇસ એ ભાવ છે કે જેના પર સરકાર મુશ્કેલીમાં વેચાણ અટકાવવા માટે ખેડૂતો પાસેથી પાક ખરીદે છેઇશ્યુ પ્રાઇસ એ ભાવ છે કે જેના પર સરકાર જાહેર વિતરણ પ્રણાલી દ્વારા ગ્રાહકોને આ અનાજ વેચે છે. 

શું એમએસપી સમગ્ર દેશ માટે સમાન છે?

હાએમએસપી સામાન્ય રીતે ચોક્કસ પાક માટે સમગ્ર ભારતમાં સમાન હોય છેજો કેખેડૂતોને મળતા વાસ્તવિક બજાર ભાવ સ્થાનિક માંગપ્રોક્યોરમેન્ટ સિસ્ટમ્સ અને પ્રાદેશિક પરિસ્થિતિઓના આધારે બદલાઈ શકે છે. 

એમએસપી કેટલા પાકો માટે જાહેર કરવામાં આવે છે?

એમએસપી 22 મુખ્ય પાકો માટે જાહેર કરવામાં આવે છે, જેમાં અનાજ, કઠોળ, તેલીબિયાં અને કોમર્શિલ પાકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, શેરડી માટે પણ ફેર એન્ડ રેમ્યુનરેટિવ પ્રાઇસ સિસ્ટમ હેઠળ એમએસપી નક્કી કરવામાં આવે છે.

Open Free Demat Account!

Join our 3.5 Cr+ happy customers
+91