નિફ્ટીમાં છેલ્લા ડાઉનવર્ડ ટ્રેન્ડ (ડાઉન ટ્રેન્ડ)ના કારણે ઘણા ટ્રેડર્સ આશ્ચર્ય પામ્યા છે કે નિફ્ટી શા માટે ઘટી રહ્યો છે. જો તમે રોકાણ કરવા માટેનો યોગ્ય સમય નક્કી કરવા માંગતા હોવ, તો માર્કેટના ટ્રેન્ડ્સને સમજવું અનિવાર્ય છે. શેરબજારમાં યોગ્ય સમયે રોકાણ કરવું એ તમને નફો થશે કે નુક્શાન, તે નક્કી કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. સંપૂર્ણ સંશોધન (રિસર્ચ) વિના આત્મવિશ્વાસ સાથે ટ્રેડિંગ કરવું અશક્ય છે. જેઓ સ્ટોક્સ ખરીદે છે અને વેચે છે, તેમના માટે વિશ્વસનીય સ્ત્રોતોમાંથી યોગ્ય માહિતી મેળવવી ખૂબ મહત્વની છે. માર્કેટની સંપૂર્ણ સમજ મેળવવા માટે તમારે નિફ્ટી શા માટે ઘટી રહ્યો છે અને તેના માટે કયા પરિબળો જવાબદાર છે, તે સમજવું પડશે.
નિફ્ટી શા માટે ઘટી રહ્યો છે અનુભવી ટ્રેડર્સ જાણે છે તેમ, શેરબજારના ટ્રેન્ડ્સ વૈશ્વિક ઘટનાઓ સાથે જોડાયેલા હોય છે. શેરના ભાવ અન્ય પરિબળોની સાથે સેલર સપ્લાય (વિક્રેતા પુરવઠો) અને બાયર ડિમાન્ડ (ખરીદનારની માંગ), અર્થતંત્રમાં વધઘટ અને રાજકીય વાતાવરણથી પ્રભાવિત થાય છે. સમગ્ર વિશ્વને હચમચાવી દેનાર છેલ્લી કુદરતી ઘટના કોરોનાવાયરસ (Coronavirus) ચર્ચાનો વિષય બન્યો છે. કોરોનાવાયરસ એટલે કે કોવિડ-19એ દુનિયાના 150થી વધુ દેશો અને પ્રદેશોને અસર કરી છે અને તે ઝડપથી ફેલાયો હતો. ચીનના મેન્યુફેક્ચરિંગ સેક્ટર્સમાં ફેબ્રુઆરી દરમિયાન પ્રવૃત્તિઓમાં મોટો ઘટાડો નોંધાયો હતો. સત્તાવાર અહેવાલો અનુસાર, આ પ્રવૃત્તિઓ રેકોર્ડબ્રેક સૌથી નીચલા સ્તરે પહોંચી ગઈ હતી, જે અર્થતંત્ર પર કોરોનાવાયરસની વિનાશક અસર દર્શાવે છે. ત્યારથી વિશ્વભરના સ્ટોક્સમાં ઘટાડાનું જોખમ વધ્યું છે.
વૈશ્વિક શેરબજારમાં તીવ્ર ઘટાડો આવ્યો છે અને રોકાણકારો કોરોનાવાયરસની અર્થતંત્ર પર થતી અસર અંગે ચિંતિત છે. આ વૈશ્વિક મહામારીના કારણે દુનિયાભરમાં થઈ રહેલી વેચવાલીની અસર ભારતીય બજારો પર પણ જોવા મળી છે. માર્ચની શરૂઆતમાં જ્યારે ભારત આ વાયરસથી પ્રમાણમાં ઓછું પ્રભાવિત હતું, ત્યારે નિફ્ટીમાં ઇન્ટ્રાડે ટ્રેડિંગ 11,036.25ની નીચી સપાટીએ પહોંચ્યું હતું. આ તેની ઓલ-ટાઇમ હાઇ (સર્વોચ્ચ) સપાટીથી 11%નો ઘટાડો હતો. આ સમયે સેન્સેક્સ અને નિફ્ટી બંનેના ઇક્વિટી માર્કેટ ઇન્ડેક્સ પોતાના ઉચ્ચ સ્તરેથી નીચે આવી ગયા અને 0.4%ના ઘટાડા સાથે બંધ થયા, ત્યારે ભારતમાં કોરોનાના કેટલાક નવા કેસ સામે આવ્યા, જેમાથી સંક્રમિતોની સંખ્યા 5 થઈ ગઈ. હાલ સંક્રમિત કેસોની સંખ્યા 100ને વટાવી ગઈ છે અને નિફ્ટી સતત ઘટી રહ્યો છે. જો તમે નિફ્ટીની અર્નિંગ યીલ્ડમાંથી 10-વર્ષની બોન્ડ યીલ્ડને બાદ કરો, તો આ સ્તર નિફ્ટીના ઐતિહાસિક નીચલા સ્તરની બરાબર પહોંચી જાય છે.
કોવિડ-19ના ડરે કેટલાક ઉદ્યોગો પર અન્યોની સરખામણીએ વધુ અસર કરી છે, પરંતુ આઇટી સિવાયના દરેક સેક્ટરના મૂલ્યમાં ઘટાડો જોવા મળ્યો છે. પીએસયુ બેન્કિંગ અને મેટલ સ્ટોક્સમાં 4.5%નો ઘટાડો નોંધાયો હતો. મેટલ સ્ક્રિપ્સમાં આ ઘટાડો 2%થી વધુ હતો.
નિષ્કર્ષ
કોવિડ-19ના ડરની અસર દુનિયાભરના શેરબજારો પર થઈ છે. લગભગ દરેક ઉદ્યોગમાં શંકા અને ચિંતા રહેલી છે અને જો કોઈ વ્યક્તિ ભાવનાઓમાં વહિ જાય, તો તેને અચાનક ભારે નુક્શાન થઈ શકે છે. આ પરિસ્થિતિ સારું દેખાવ કરી રહેલા સેક્ટર્સમાં સ્ટોક્સ ખરીદવાની ઉત્તમ તક પણ હોઈ શકે છે, પરંતુ તમારે આ સમયે મોટી માત્રામાં (બલ્કમાં) ખરીદી કરવાની ઈચ્છા પર કાબૂ રાખવો જોઈએ. આ મહામારીની અસરો સતત વધતી રહી છે અને આપણે હજી પ્રારંભિક તબક્કામાં છીએ. આ રોગના ફેલાવાના ડરથી ભવિષ્યમાં સ્ટોકના ભાવો પર કેવી અસર પડશે તેની આગાહી કરવી અશક્ય છે. આ સમય સાવચેતીપૂર્વક આગળ વધવાનો અને સામે આવતી કોઈપણ તક માટે સતર્ક રહેવાનો છે.
આજના શેરબજારના ભાવો જાણો
- ટાટા સ્ટીલ શેર પ્રાઇસ
- અદાણી પાવર શેર પ્રાઇસ
- પીએનબી શેર પ્રાઇસ
- ઝોમેટો શેર પ્રાઇસ
- બીઈએલ શેર પ્રાઇસ
- બીએચઈએલ શેર પ્રાઇસ
- ઇન્ફોસિસ શેર પ્રાઇસ
- આઇટીસી શેર પ્રાઇસ
- જીઓ ફાઇનાન્સ શેર પ્રાઇસ
- એલઆઇસી શેર પ્રાઇસ
ભારતીય શેરબજાર મૂડી નિર્માણ, સંપત્તિ સર્જન અને કોર્પોરેટ વૃદ્ધિને સક્ષમ કરીને દેશના અર્થતંત્રમાં કેન્દ્રિય ભૂમિકા ભજવે છે. રોકાણકારો માટે, તે દેશની કેટલીક સૌથી સફળ કંપનીઓમાં ઇક્વિટી ધરાવીને સમય જતાં નાણાંની વૃદ્ધિ કરવાની તક આપે છે. એન્જલ વન તેના શક્તિશાળી ટ્રેડિંગ પ્લેટફોર્મ, એઆરક્યૂ પ્રાઈમ સ્માર્ટ ભલામણો, આઈપીઓ એક્સેસ અને સંશોધન આધારિત આંતરદૃષ્ટિ સાથે શેરબજારને તમારી આંગળીના ટેરવે લાવે છે. તમે નાની શરૂઆત કરી રહ્યા હોવ કે લાંબા ગાળાનું પોર્ટફોલિયો બનાવી રહ્યા હોવ, શેરબજાર સંપત્તિ નિર્માણ માટે એક શક્તિશાળી માધ્યમ બની શકે છે.

