પીએસયુ એ એવી કંપનીઓ છે જેનો મેજોરિટી ઇક્વિટી હિસ્સો સરકાર, કેન્દ્ર અથવા રાજ્યની માલિકીનો હોય છે. પીએસયુ ભારતીય અર્થતંત્રમાં ખૂબ મહત્વ ધરાવે છે, જે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રોજગારને વેગ આપે છે, અને શેરબજારમાં લિસ્ટેડ હોવાથી, તે રોકાણ માટેના આવશ્યક માધ્યમો છે. રોકાણકારો માટે, પીએસયુ ઘણીવાર સ્ટેબિલિટી, હાઇ ડિવિડન્ડ પેઆઉટ અને સરકાર તરફથી મજબૂત સમર્થનનું પ્રતિનિધિત્વ કરે છે.
જો કે, તેઓ કામગીરીની કાર્યક્ષમતા અને પોલિસી મેન્ડેટ્સ સંબંધિત અનન્ય પડકારોનો પણ સામનો કરે છે. આ વિશાળ સ્ટેટ એન્ટરપ્રાઇસિસ અંગેના વર્તમાન લેન્ડસ્કેપ, કામગીરી અને સરકારી સુધારાઓને સમજવા એ આ ક્ષેત્રોમાં રસ ધરાવતા કોઈપણ વ્યક્તિ માટે મહત્વપૂર્ણ છે.
આ પણ વાંચો, What Is Stock Exchange?
મુખ્ય મુદ્દાઓ
- પર્ફોમન્સ અને ઓટોનોમીના આધારે, ભારત તેના સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝને ત્રણ કેટેગરીમાં વર્ગીકૃત કરે છે: મિનિરત્ન, નવરત્ન અને મહારત્ન.
- સ્થિર નફો અને નિર્ણય લેવાની પ્રક્રિયા પર ઓછું નિયંત્રણ ધરાવતી કંપનીઓ મિનિરત્ન છે.
- નવરત્ન કંપનીઓ નોંધપાત્ર નાણાકીય અને ઓપરેશનલ પાવર ધરાવે છે. જો કે, આ માટે, તેમણે કડક કામગીરીના માપદંડો પૂર્ણ કરવાની જરૂર છે.
- સૌથી મોટી અને સૌથી મજબૂત સીપીએસઇ એ મહારત્ન છે. તેઓ હાઇ લેવલની ઓટોનોમી ધરાવે છે અને ભારતના અર્થતંત્રમાં નોંધપાત્ર યોગદાન આપે છે.
પીએસયુની વ્યાખ્યા
કંપનીને પીએસયુ ગણવા માટે સરકાર પાસે પેઇડ-અપ શેર કેપિટલના ઓછામાં ઓછા 50% હોવા આવશ્યક છે. માલિકીના આધારે તેમને સેન્ટ્રલ પીએસયુ અથવા સ્ટેટ પીએસયુ તરીકે ક્લાસિફાઇ કરવામાં આવે છે. સરકાર મોટાભાગના ડાયરેક્ટર્સની નિમણૂંક પણ કરે છે અને મેનેજમેન્ટને કંટ્રોલ કરે છે. પીએસયુ ને ક્યારેક સ્ટેટ્યૂટરી કોર્પોરેશન, નેશનલાઇઝ્ડ કંપનીઓ અથવા સરકારની માલિકીના બિઝનેસ તરીકે ઓળખવામાં આવે છે.
પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ્સની ભૂમિકા
પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ્સ ભારતના આર્થિક અને સામાજિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેઓ મુખ્ય ક્ષેત્રોમાં કાર્ય કરે છે, આવશ્યક સેવાઓ પૂરી પાડે છે અને રાષ્ટ્રીય વિકાસને સમર્થન આપે છે. તેમનું કાર્ય અર્થતંત્ર અને સમાજ બંનેને લાભ આપે છે.
- ઇકોનોમિક ગ્રોથ: પીએસયુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવીને, આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને અને પ્રોડક્શન કાર્યક્ષમતામાં સુધારો કરીને ગ્રોથને વેગ આપે છે.
- ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ: તેઓ ટ્રાન્સપોર્ટ, પાવર, સિંચાઈ, કોમ્યુનિકેશન અને પાણી પુરવઠાના પ્રોજેક્ટ્સ બનાવે છે, જે ઘણીવાર લોંગ ટર્મના, મોટા પાયે પહેલમાં રોકાણ કરે છે.
- ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ: પીએસયુ સ્ટીલ, સિમેન્ટ, વીજળી, પેટ્રોલિયમ અને ખાતર જેવા ભારે અને મૂળભૂત ઉદ્યોગોને સમર્થન આપે છે, જ્યાં ખાનગી રોકાણ મર્યાદિત છે.
- પબ્લિક યુટિલિટીઝ: તેઓ વીજળી, પાણી, પરિવહન, એરલાઇન્સ, રેલ્વે અને ટેલિકોમ જેવી સસ્તી સેવાઓ પૂરી પાડે છે.
- રોજગાર સર્જન: પીએસયુ મોટા પાયે નોકરીઓનું સર્જન કરે છે અને કર્મચારીઓના હિતોનું રક્ષણ કરે છે.
- સરકારી આવક: તેઓ ટેક્સ અને નફા દ્વારા યોગદાન આપે છે, જે ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સને ફંડ પૂરું પાડવામાં મદદ કરે છે.
- સોશ્યલ વેલફેર અને બેલેન્સ્ડ ડેવલપમેન્ટ: પીએસયુ સબસિડીવાળી વસ્તુઓ ઓફર કરે છે, આવશ્યક કિંમતો પર નિયંત્રણ રાખે છે અને ઓછા વિકસિત પ્રદેશોમાં વિકાસને પ્રોત્સાહન આપે છે.
માલિકીના આધારે પીએસયુ ના વિવિધ પ્રકારો
પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ્સને તેની માલિકી કોની પાસે છે તેના આધારે વર્ગીકૃત કરી શકાય છે. માલિકી નક્કી કરે છે કે સરકાર પાસે કેટલું નિયંત્રણ છે અને આ કંપનીઓનું સંચાલન કેવી રીતે થાય છે. પીએસયુ ના પ્રકારોને સમજવાથી અર્થતંત્રમાં તેમની ભૂમિકા અને મહત્વ જાણવામાં મદદ મળે છે.
- સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ: આ એવી કંપનીઓ છે જ્યાં કેન્દ્ર સરકાર પાસે શેર કેપિટલના ઓછામાં ઓછા 51% માલિકી છે. સીપીએસઇને વધુ સ્ટ્રેટેજીક અને નોન-સ્ટ્રેટેજીક કંપનીઓમાં વિભાજિત કરવામાં આવે છે. સ્ટ્રેટેજી સીપીએસઇ ડિફેન્સ અને એનર્જી જેવા રાષ્ટ્રીય હિત માટે મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં કાર્ય કરે છે, જ્યારે નોન-સ્ટ્રેટેજીક કંપનીઓ અન્ય ક્ષેત્રોમાં કામ કરે છે.
- સ્ટેટ લેવલ પબ્લિક એન્ટરપ્રાઇઝ: આ કંપનીઓમાં, રાજ્ય સરકાર 51% કે તેથી વધુ શેર ધરાવે છે. તેઓ સ્થાનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, યુટિલિટીઝ અને ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ જેવી સ્ટેટ લેવલની પ્રાથમિકતાઓ પર ફોકસ કરે છે.
-
પબ્લિક સેક્ટર બેંક્સ: આ બેંકો કેન્દ્ર સરકાર અથવા અન્ય પીએસબી દ્વારા નિયંત્રિત થાય છે, જેમાં ઓછામાં ઓછા 51% માલિકી હોય છે. તેઓ બેંકિંગ સર્વિસિઝ પૂરી પાડવામાં, આર્થિક વિકાસને ટેકો આપવામાં અને સરકારી યોજનાઓ અમલમાં મુકવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે.
આ ક્લાસિફિકેશન્સ ભારતમાં પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ્સની સ્પષ્ટ માલિકી, શાસન અને જવાબદારી સુનિશ્ચિત કરે છે.
મિનિરત્ન સ્ટેટસ
મિનિરત્ન સ્ટેટસ એવા સીપીએસઇને આપવામાં આવે છે જે સતત નફાકારકતા, નાણાકીય સ્થિરતા અને ઓપરેશનલ કાર્યક્ષમતા દર્શાવે છે. આ દરજ્જો સીપીએસઇને નિર્દિષ્ટ મર્યાદાઓમાં ચોક્કસ નિર્ણય લેવાની સત્તા અને ઓપરેશનલ ઓટોનોમી સાથે સશક્ત બનાવે છે. મિનિરત્ન હેઠળ બે સબ-કેટેગરીઝ છે:
1. મિનિરત્ન-I: ત્રણ વર્ષ સુધી સતત નફો, તે વર્ષોમાંથી ઓછામાં ઓછા એક વર્ષમાં ₹30 કરોડથી વધુનો પ્રી-ટેક્સ નફો, અને પોઝિટીવ નેટવર્થ ધરાવતી સીપીએસઇને મિનિરત્ન-I પીએસયુ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. આ કંપનીઓએ મજબૂત નાણાકીય કામગીરી અને મેનેજમેન્ટ ક્ષમતાઓ દર્શાવી છે.
2. મિનિરત્ન-II: છેલ્લા ત્રણ વર્ષથી સતત નફાકારકતા અને હકારાત્મક નેટવર્થ ધરાવતી સીપીએસઇને મિનિરત્ન-II કંપનીઓ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. તેઓ નાણાકીય સ્થિતિસ્થાપકતા અને શ્રેષ્ઠ ઓપરેશનલ કામગીરી દર્શાવે છે, જે ભારતના આર્થિક વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપે છે.
સીપીએસઇ એ લોન પરની ચૂકવણી ચૂકી ન જવા અથવા સરકારને ચૂકવવાપાત્ર વ્યાજ જેવી કેટલીક વધારાની જરૂરિયાતો પણ પૂર્ણ કરવી આવશ્યક છે. મિનિરત્ન એન્ટરપ્રાઇસિસ સરકારી ગેરંટી અને બજેટરી સમર્થનથી પણ સ્વતંત્ર છે.
મિનિરત્ન કેટેગરી-I સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ
અહીં કેટલીક ટોપ કેટેગરી-I મિનિરત્ન સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝની લિસ્ટ આપેલી છે:
| કંપની | સ્ટોક ટિકર |
| ગ્રીડ કંટ્રોલર ઓફ ઇન્ડિયા લિ. | ગ્રીડ-ઇન્ડિયા |
| એરપોર્ટટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા | એએઆઇ |
| અંતરિક્ષ કોર્પોરેશન લિ. | અંતરિક્ષ |
| ભારત ડાયનામિક્સ લિ. | બીડીએલ |
| ભારત અર્થ મૂવર્સ લિ. | બીઇએમએલ |
| હિંદુસ્તાન એરોનોટિક્સ લિ. | એચએએલ |
- ડકન્ટ્રોલર ઓફ ઇન્ડિયા લિમિટેડ: 2009માં સ્થાપિત, ગ્રીડ-ઇન્ડિયા ભારતીય પાવર સિસ્ટમના સરળ મેનેજમેન્ટની ખાતરી કરે છે. તે પ્રદેશોની અંદર અને આજુબાજુ કાર્યક્ષમ પાવર ટ્રાન્સફર પર ફોકસ કરે છે અને આંતરરાષ્ટ્રીય પાવર એક્સચેન્જોને સરળ બનાવે છે. કંપની સ્પર્ધાત્મક હોલસેલ ઇલેક્ટ્રિસીટી માર્કેટ્સ અને સેટલમેન્ટ સિસ્ટમ્સનું પણ સંચાલન કરે છે.
- એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા: 1995માં સ્થાપિત, એએઆઇ ભારત સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલય હેઠળ કાર્ય કરે છે. એએઆઇની જવાબદારીઓમાં દેશભરમાં નાગરિક ઉડ્ડયન ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ, અપગ્રેડ અને મેનેજમેન્ટનો સમાવેશ થાય છે. તે આંતરરાષ્ટ્રીય, સ્થાનિક અને કસ્ટમ્સ એરપોર્ટ્સ સહિત 137 એરપોર્ટ્સના નેટવર્કનું સંચાલન પણ કરે છે.
- એન્ટ્રીક્સ કોર્પોરેેશન લિમિટેડ: 1992માં સ્થાપિત, અંતરિક્ષ કોર્પોરેશન ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ હેઠળ કાર્ય કરે છે. તે ટ્રાન્સપોન્ડર પ્રોવિઝનિંગ, રિમોટ સેન્સિંગ, સ્પેસક્રાફ્ટ અને સબસિસ્ટમ્સ અને મિશન સપોર્ટ જેવી સર્વિસિઝ પૂરી પાડે છે. અંતરિક્ષ સ્પેસ-બેઝ્ડ જરૂરિયાતો માટે ગ્રાઉન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઓફર કરે છે.
- ભારત ડાયનામિક્સ લિમિટેડ: 1970માં સ્થાપિત, બીડીએલ ગાઇડેડ વેપન્સ સિસ્ટમ્સ બનાવવા માટે વિશેષતા ધરાવે છે. તે હૈદરાબાદ, તેલંગાણા અને વિશાખાપટ્ટનમ, આંધ્રપ્રદેશમાં મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ ચલાવે છે. બીડીએલની પ્રોડક્ટ રેન્જમાં સરફેસ-ટુ-એર મિસાઇલ્સ, એર ડિફેન્સ સિસ્ટમ્સ, ટોર્પિડોઝ અને એર-ટુ-એર મિસાઇલ્સનો સમાવેશ થાય છે.
- Bharat Earth Movers Limited: બેંગલોરમાં હેડક્વાર્ટર ધરાવતી, બીઇએમએલની સ્થાપના 1964માં કરવામાં આવી હતી. બીઇએમએલ અર્થમુવિંગ ઇક્વિપમેન્ટ, અંડરગ્રાઉન્ડ માઇનિંગ સાધનો, રેલ્વે સાધનો અને હેવી-ડ્યુટી હાઇડ્રોલિક એગ્રીગેટ્સનું ઉત્પાદન કરે છે. તેની પાસે કર્ણાટક અને કેરળમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે.
- હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ: બેંગલોરમાં હેડક્વાર્ટર ધરાવતી એલએએલ, મિનીસ્ટ્રી ઓફ ડિફેન્સ હેઠળ કાર્ય કરે છે. એરોસ્પેસ ઓપરેશન્સમાં સામેલ, એચએએલ એરક્રાફ્ટ, જેટ એન્જિન, હેલિકોપ્ટર અને સ્પેર પાર્ટ્સની ડિઝાઇન, ફેબ્રિકેશન અને એસેમ્બલ કરે છે.
આ પણ જુઓ, Bharat Dynamics Share Price Live
નવરત્ન સ્ટેટસ
નવરત્ન સીપીઇએસ વધુ ફાઇનાન્સિયલ અને ઓપરેશનલ ઓટોનોમી ધરાવે છે, જે તેમને સ્ટ્રેટેજીક ઇનિશિએટિવ્સ, ઇન્વેસ્ટમેન્ટ્સ અને આંતરરાષ્ટ્રીય કોલાબ્રેશન્સ વધુ કાર્યક્ષમ રીતે હાથ ધરવા સક્ષમ બનાવે છે. મિનિરત્ન-I દરજ્જો ધરાવતી સીપીઇએસ નવરત્ન દરજ્જા માટે પાત્ર છે જો તેઓ અમુક માપદંડોને પૂર્ણ કરે, જેમાં ઉત્તમ કામગીરી રેટિંગ્સ અને નિર્દિષ્ટ કામગીરી સૂચકાંકોમાં સંયુક્ત સ્કોરનો સમાવેશ થાય છે. નવરત્ન દરજ્જા માટેના માપદંડોમાં શામેલ છે:
- છેલ્લા પાંચ વર્ષમાંથી ત્રણ વર્ષ માટે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ મૂલ્યાંકનમાં "વેરી ગૂડ" અથવા "એક્સિલેન્ટ" રેટિંગ મેળવવું.
- છ પસંદ કરેલા કામગીરી ઇન્ડિકેટર્સમાં 60 કેથી વધુનો સંયુક્ત સ્કોર પ્રાપ્ત કરવો, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે:
- નેટ પ્રોફિટ ટૂ નેટ વર્થ
- મેનપાવર કોસ્ટ ટૂ ટોટલ કોસ્ટ ઓફ પ્રોડક્શન
- પીબીડીઆઇટીથી કેપિટલ એમ્પ્લોયડ
- પીબીઆઇટીથી ટર્નઓવર
- અર્નિંગ પર શેર
- ઇન્ટર-સેક્ટોરલ પર્ફોમન્સ
નવરત્ન સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ
અહીં કેટલીક ટોચની “નવરત્ન” સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝની યાદી છે
| કંપની | સ્ટોક ટિકર |
| ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ | બીઇએલ |
| કન્ટેઇનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા | કોનકોર |
| એન્જીનિયર્સ ઇન્ડિયા લિમિટેડ | ઇઆઇએલ |
| મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ | એમટીએનએલ |
- ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ: 1954 માં બેંગલુરુ, કર્ણાટક, ભારત ખાતે સ્થાપિત, બીઇએલ એ નવ ફેક્ટરીઓ અને પ્રાદેશિક કચેરીઓ સાથેની રાજ્ય-માલિકીની એરોસ્પેસ અને ડિફેન્સ કંપની છે. કંપનીની પ્રોડક્ટ રેન્જમાં એવિઓનિક્સ, રડાર, વેપન સિસ્ટમ્સ, C4I સિસ્ટમ્સ અને ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનનો સમાવેશ થાય છે.
- કન્ટેઇનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા: 1988 માં રેલ્વે મંત્રાલય હેઠળ સ્થાપિત, કોનકોરએ 1989 માં ભારતીય રેલ્વે પાસેથી સાત ઇનલેન્ડ કન્ટેનર ડેપો કબજે કર્યા. તેણે ભારતના કન્ટેનરાઇઝ્ડ કાર્ગો પરિવહનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી, જે 1966 માં રજુ કરવામાં આવી હતી. ભારતના વિશાળ કદને કારણે મધ્યમ અને લાંબા અંતર માટે કાર્ગો માટે રેલ પરિવહનને પ્રાધાન્ય આપવામાં આવે છે.
- એન્જીનિયર્સ ઇન્ડિયા લિમિટેડ: 1965 માં મિનીસ્ટ્રી ઓફ પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ હેઠળ સ્થાપિત, ઇઆઇએલ પેટ્રોલિયમ રિફાઇનરીઓ અને ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ્સ માટે એન્જિનિયરિંગ સર્વિસિઝ પૂરી પાડે છે. તે પેટ્રોલિયમ રિફાઇનિંગ, પેટ્રોકેમિકલ્સ, પાઇપલાઇન્સ, ઓફશોર અને ઓનશોર ઓઇલ અને ગેસ, ટર્મિનલ્સ, માઇનિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વગેરેમાં નિષ્ણાત છે.
- મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ: 1986 માં સ્થાપિત, એમટીએનએલએ નવી દિલ્હીમાં હેડક્વાર્ટર ધરાવતી રાજ્ય-માલિકીની ટેલિકોમ્યુનિકેશન સર્વિસ પ્રોવાઇડર છે. તે મુંબઈ, નવી દિલ્હી અને મોરેશિયસમાં સર્વિસિઝ પ્રદાન કરે છે.
આ પણ જુઓ, Container Corporation Of India Share Price Live
મહારત્ન સ્ટેટસ
મહારત્ન સ્ટેટર સીપીઇએસમાં સર્વોચ્ચ સન્માન છે; તેઓ ઇન્ડસ્ટ્રી જાયન્ટ્સ છે જેઓ તેમના ઇનોવેશન, લિડરશીપ અને નેશનલ ડેવલપમેન્ટ્સમાં યોગદાન માટે જાણીતા છે. મહારત્ન દરજ્જા માટે લાયક ઠરવા માટે, સીપીઇએસ એ કડક માપદંડો પૂર્ણ કરવા આવશ્યક છે, જેમાં શામેલ છે:
- નવરત્ન દરજ્જો ધરાવવો.
- ભારતીય શેરબજારમાં લિસ્ટેડ હોવું.
- મિનિમમ શેરહોલ્ડિંગના ધોરણોનું પાલન કરવું.
- છેલ્લા ત્રણ વર્ષમાં ₹25,000 કરોડથી વધુનું સરેરાશ વાર્ષિક ટર્નઓવર, ₹15,000 કરોડથી વધુની સરેરાશ વાર્ષિક નેટવર્થ અને ₹5,000 કરોડથી વધુનો સરેરાશ વાર્ષિક ચોખ્ખો નફો પ્રાપ્ત કરવો.
મહારત્ન સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ
અહીં કેટલીક ટોચની “મહારત્ન” સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝની યાદી છે
| કંપની | સ્ટોક ટિકર |
| નેશનલ થર્મલ પાવર કોર્પોરેેશન | એનટીપીસી |
| ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન | ઓએનજીસી |
| સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ | એસએઆઇએલ |
| ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ | બીએચઇએલ |
| ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ | આઇઓસીએલ |
- નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન: મે 2010 માં, ભારત સરકારએ એનટીપીસીને મહારત્ન સ્ટેટસ આપ્યું. 7 નવેમ્બર 1975 ના રોજ સ્થાપિત, એનટીપીસી ભારતમાં 70 સ્થળોએ, શ્રીલંકામાં એક અને બાંગ્લાદેશમાં બે જગ્યાએ કામગીરી કરે છે. તેની પાંચ પ્રાદેશિક મુખ્ય કચેરીઓ ભારતમાં કંપનીની કામગીરીનું નિરીક્ષણ કરે છે.
- ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન: 14 ઓગસ્ટ 1956 ના રોજ સ્થપાયેલ, ઓએનજીસીએ ઓઇલ એન્ડ નેચરલ ગેસ ડિરેક્ટોરેટથી ભારત સરકાર હેઠળ ઓઇલ એન્ડ નેચરલ ગેસ કમિશનમાં પરિવર્તિત થયું. તે ભારતના 26 સેડિમેન્ટરી બેસિનમાં હાઇડ્રોકાર્બનની શોધ અને ઉપયોગમાં મહત્વની ભૂમિકા ભજવે છે. વધુમાં, ઓએનજીસી દેશમાં 11,000 કિલોમીટરથી વધુ પાઇપલાઇનનું સંચાલન કરે છે.
- સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ: નવી દિલ્હીમાં સ્થિત, એસએઆઇએસ એ રાજ્ય-માલિકીની સ્ટીલ ઉત્પાદક છે અને તે વિશ્વમાં 20મા ક્રમની સૌથી મોટી સ્ટીલ ઉત્પાદક અને ભારતમાં 3જા ક્રમની સૌથી મોટી સ્ટીલ ઉત્પાદક છે. એસએઆઇએસ સમગ્ર ભારતમાં પાંચ ઇન્ટિગ્રેટેડ સ્ટીલ પ્લાન્ટ્સ અને ત્રણ સ્પેશિયલ સ્ટીલ પ્લાન્ટ્સ ચલાવે છે.
- ભારત હેવી ઇલેક્ટ્રીકલ્સ લિમિટેડ: બીએચઇએલ પાવર, ટ્રાન્સપોર્ટેશન, રીન્યુએબલ એનર્જી, ઓઇલ અને ગેસ અને ડિફેન્સ જેવા વિવિધ મુખ્ય સેક્ટર્સ માટે પ્રોડક્ટ્સની ડિઝાઇન, એન્જિનિયરિંગ, મેન્યુફેક્ચર્સ અને સર્વિસ આપે છે. કંપની ભારતીય રેલ્વેને ઇલેક્ટ્રિક લોકોમોટિવ્સ અને સુપર રેપિડ ગન માઉન્ટ નેવલ ગન્સ જેવા ડિફેન્સ સાધનો પૂરા પાડે છે.
- ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ: ભારતની સૌથી મોટી કોમર્શિયલ ઓઇલ કંપની તરીકે, આઇઓસીએલ એ વૈકલ્પિક એનર્જી અને ગ્લોબલ ડાઉનસ્ટ્રીમ ઓપરેશન્સમાં વૈવિધ્યીકરણ કર્યું છે. તેની ઘણા દેશોમાં પેટાકંપનીઓ છે અને તે રિફાઇનિંગ, પાઇપલાઇન ટ્રાન્સપોર્ટેશન, પેટ્રોલિયમ પ્રોડક્ટ્સનું માર્કેટિંગ અને ક્રૂડ ઓઇલ, કુદરતી ગેસ અને પેટ્રોકેમિકલ્સના રીસર્ચ અને ઉત્પાદન સાથે સંકળાયેલી છે.
નિષ્કર્ષ
પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ્સની ભૂમિકા બિઝનેસથી વધુ હોય છે. પીએસયુ સબસિડીવાળી વસ્તુઓ ઓફર કરીને, આવશ્યક ચીજવસ્તુઓના ભાવને નિયંત્રિત કરીને અને સેવાઓથી વંચિત વિસ્તારો સુધી પહોંચે તેની ખાતરી કરીને સોશિયલ વેલફેરને પણ પ્રોત્સાહન આપે છે.
પીએસયુ ને માલિકીના આધારે વર્ગીકૃત કરી શકાય છે. આ વર્ગીકરણ યોગ્ય શાસન, જવાબદારી અને ઓપરેશનલ કાર્યક્ષમતા સુનિશ્ચિત કરે છે. સીપીએસઇનું મિનિરત્ન, નવરત્ન અને મહારત્નમાં વધુ વર્ગીકરણ તેમની કામગીરી, ઓટોનોમી અને સ્ટ્રેટેજી મહત્વને પ્રકાશિત કરે છે.
પીએસયુ અને તેમના પ્રકારોને સમજવાથી રોકાણકારો, સ્ટેકહોલ્ડર્સ અને પોલિસી મેકર્સને જાણકાર નિર્ણયો લેવામાં મદદ મળે છે, સાથે ભારતના વિકાસમાં તેમનું મહત્વપૂર્ણ યોગદાન પણ છે.
