આવકવેરા અધિનિયમની કલમ 80સીસીસી

1 min read
by Angel One

આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 80સીસીસી એ કલમ 80સી નો એક ભાગ છે. તે પેન્શન ફંડમાં રોકાણ પર કર લાભો પ્રદાન કરે છે. આ કલમ શું પ્રદાન કરે છે, તેના માટે કોણ યોગ્યતા ધરાવે છે અને વધુ જાણો.

1961ના આવકવેરા અધિનિયમમાં કરદાતાઓને તેમની કુલ કર જવાબદારી ઘટાડવામાં મદદ કરતી ઘણી જોગવાઈ છે. કલમ 80સીસીસી એ અધિનિયમમાં સમાવિષ્ટ ઘણી કર બચત જોગવાઈમાંથી એક છે. આ ચોક્કસ કલમ કરદાતાઓને માત્ર કર બચાવવા માટે જ સક્ષમ બનાવતી નથી, પરંતુ તેમને તેમના લાંબા ગાળાના નાણાકીય ઉદ્દેશ્યોને પહોંચી વળવા માટે ભંડોળ ઊભું કરવા માટે પણ પ્રોત્સાહિત કરે છે. જો તમે એવા કરદાતા છો કે જેઓ તમારા ભવિષ્યને સુરક્ષિત કરતી વખતે તમારી કર બચતને શ્રેષ્ઠ બનાવવા માંગો છો તો આવકવેરા અધિનિયમની કલમ 80સીસીસીનો યોગ્ય રીતે ઉપયોગ કેવી રીતે કરવો તે જાણવું મહત્વપૂર્ણ છે. આ ચોક્કસ કલમ વિશે તમારે જે જાણવાની જરૂર છે તે અહીં છે.

આવકવેરા અધિનિયમની કલમ 80સીસીસી શું છે?

આવકવેરા અધિનિયમની કલમ 80સીસીસી ચોક્કસ પેન્શન ફંડમાં યોગદાન આપતા વ્યક્તિઓ માટે કર કપાત સાથે સંબંધિત છે. આ કલમની જોગવાઈઓ કરદાતાઓને જીવન વીમા કંપનીના પેન્શન અથવા વાર્ષિકી  યોજના તરફ તેઓ જે રકમ ચૂકવે છે તેને કુલ આવકમાંથી કપાત તરીકે દાવો કરવાની મંજૂરી આપે છે. આવકવેરા અધિનિયમની કલમ 80સીસીસીનો પ્રાથમિક ઉદ્દેશ્ય પેન્શન અને વાર્ષિકી યોજનાઓમાં કરવામાં આવેલા રોકાણો પર કર લાભો આપીને વ્યક્તિઓમાં નિવૃત્તિ આયોજનને પ્રોત્સાહન આપવાનો છે. કલમ 80સીસીસી કલમ 80સી કપાતનો એક ભાગ છે. તેથી નાણાકીય વર્ષમાં ઉપલબ્ધ કપાતની મહત્તમ રકમ આવકવેરા અધિનિયમની કલમ 80સી દ્વારા નિર્દિષ્ટ રૂપિયા 1.5 લાખની કુલ મર્યાદાને આધીન છે. આનો અર્થ એ છે કે કલમ 80સી, 80સીસીસી અને 80સીસીડી હેઠળ સંયુક્ત રીતે ઉપલબ્ધ કપાતની રકમ પ્રતિ નાણાકીય વર્ષ રૂપિયા 1.5 લાખ છે.

આવકવેરા અધિનિયમની કલમ 80સીસીસી હેઠળ કોણ લાભોનો દાવો કરી શકે છે?

આવકવેરા અધિનિયમની કલમ 80સીસીસી હેઠળ કપાત ફક્ત નિવાસી અને અનિવાસી વ્યક્તિગત કરદાતાઓ માટે ઉપલબ્ધ છે જેઓ જીવન વીમા કંપનીના પેન્શન અથવા વાર્ષિકી યોજનામાં યોગદાન આપે છે. કલમ 80સીસીસી હેઠળના લાભો હિન્દુ અવિભક્ત કુટુંબ (એચયુએફ), એકમાલિકો (સોલ-પ્રોપ્રાઈટર્સ) અને કંપનીઓ, ટ્રસ્ટો, સહકારી મંડળીઓ અને સંગઠનો જેવી બિન-વ્યક્તિગત સંસ્થાઓ માટે અનુપલબ્ધ છે.

આવકવેરા અધિનિયમની કલમ 80સીસીસીના લાભો મેળવવા માટેના માપદંડ

આવકવેરા અધિનિયમની કલમ 80સીસીસી હેઠળ લાભોનો દાવો કરવા માટે ચોક્કસ મુખ્ય માપદંડ સંતોષવા આવશ્યક છે. તે શું છે તેની ઝડપી ઝાંખી અહીં છે.

  • પેન્શનઅથવા વાર્ષિકી યોજના જીવન વીમા કંપની દ્વારા ઓફર કરવામાં આવવી જોઈએ જે ભારતીય વીમા નિયમનકારી અને વિકાસ સત્તામંડળ (ઈરડા) સાથે નોંધાયેલ છે.
  • પેન્શનઅથવા વાર્ષિકી ફંડ 1 ઓગસ્ટ, 1996 ના રોજ અથવા તે પછી સ્થાપિત થયેલ હોવું જોઈએ.
  • યોજનાતરફનું યોગદાન 80સીસીસી હેઠળ લાભોનો દાવો કરનાર વ્યક્તિગત કરદાતાની કરપાત્ર આવકમાંથી કરવામાં આવવું જોઈએ.
  • નવીયોજનાની ખરીદી અથવા હાલની યોજનાના નવીકરણ માટે ચૂકવવામાં આવેલા પ્રીમિયમનો કપાત તરીકે દાવો કરી શકાય છે.
  • જોબહુવિધ વર્ષો માટેના પ્રીમિયમ અગાઉથી ચૂકવવામાં આવે, તો કલમ 80સીસીસી હેઠળ કપાત ફક્ત પ્રો-રાટા ધોરણે મેળવી શકાય છે. ઉદાહરણ તરીકે, ધારો કે તમે 4 વર્ષ માટે અગાઉથી રૂપિયા 1 લાખનું પ્રીમિયમ ચૂકવો છો. આ કિસ્સામાં, તમે 4 નાણાકીય વર્ષો સુધી નાણાકીય વર્ષ દરમિયાન મહત્તમ રૂપિયા 25,000 નો દાવો કરી શકો છો. આ ધારીને કે તમામ 4 વર્ષ માટેના પ્રીમિયમ સમાન છે.
  • આવકવેરાઅધિનિયમની કલમ 80 સીસીસી હેઠળ દાવો કરવામાં આવતી રકમ ચોખ્ખી કરપાત્ર આવક કરતાં ઓછી હોવી જોઈએ.
  • કરદાતાઓએપેન્શન અથવા વાર્ષિકી યોજના તરફ ચૂકવેલ પ્રીમિયમનો રેકોર્ડ રાખવો આવશ્યક છે.

આવકવેરા અધિનિયમની કલમ 80સીસીસીના મુખ્ય પાસા

જે કરદાતાઓ તેમની કુલ કર જવાબદારી ઘટાડવા માટે આવકવેરા અધિનિયમની કલમ 80સીસીસીનો ઉપયોગ કરવાનું આયોજન કરી રહ્યા છે તેમણે નીચેના મુખ્ય મુદ્દા ધ્યાનમાં રાખવા જોઈએ.

  • કોઈબમણો લાભ નહીં

કરદાતાઓ કલમ 80સીસીસી અને કલમ 80સી હેઠળ દરેક રૂપિયા1.5 લાખની કપાતનો દાવો કરી શકતા નથી. કલમ 80સીસીસી હેઠળ રૂપિયા 1.5 લાખની કુલ કપાત મર્યાદામાં કલમ 80સી અને 80સીસીડી હેઠળ દાવો કરાયેલ કપાતનો સમાવેશ થાય છે.

  • પેન્શનયોજનાના સરેન્ડર અથવા ઉપાડ પર અસરો

જો પેન્શન અથવા વાર્ષિકી યોજના તેની પાકતી મુદત પહેલા સરેન્ડર અથવા ઉપાડવામાં આવે, તો આવા ઉપાડ અથવા સરેન્ડરમાંથી મળતી રકમ કરપાત્ર રહેશે. આ રકમ કુલ આવકમાં ઉમેરવામાં આવશે અને વ્યક્તિગત કરદાતાના આવક સ્લેબ મુજબ કર લાદવામાં આવશે. વધુમાં, જે વર્ષમાં પોલિસી અકાળે સરેન્ડર અથવા ઉપાડવામાં આવી હતી તે વર્ષ દરમિયાન પેન્શન અથવા વાર્ષિકી યોજનામાં કરવામાં આવેલ યોગદાનને આવકવેરા અધિનિયમની કલમ 80સીસીસી હેઠળ કપાત તરીકે મંજૂરી આપવામાં આવશે નહીં.

  • પેન્શનનીકરપાત્રતા

યોજના પાક્યા પછી કરદાતાઓને મળતું નિયમિત પેન્શન ‘પગાર’ શીર્ષક હેઠળ કુલ આવકમાં ઉમેરવામાં આવશે અને લાગુ આવક સ્લેબ મુજબ કર લાદવામાં આવશે.

  • કપાતનીઅપાત્રતા

પેન્શન અથવા વાર્ષિકી યોજના પર મળેલા બોનસ, લોયલ્ટી એડિશન અને વ્યાજનો આવકવેરા અધિનિયમની કલમ 80સીસીસી હેઠળ કપાત તરીકે દાવો કરી શકાતો નથી. ફક્ત યોજના તરફ કરવામાં આવેલ યોગદાન કપાત માટે યોગ્ય છે.

સંક્ષિપ્તમાં માહિતી

આવકવેરા અધિનિયમની કલમ 80સીસીસના તમામ મુખ્ય પાસાઓ અહીં સમાપ્ત થાય છે. જો તમે આ કલમ હેઠળ કોઈપણ પાત્ર પેન્શન ફંડમાં રોકાણ કરો છો અને જો તમે આ લાભ માટે પાત્ર છો, તો ખાતરી કરો કે તમે તમારું આવકવેરા રિટર્ન (આઈટીઆર) ફાઇલ કરતી વખતે તેનો દાવો કરો છો. જોકે, ધ્યાનમાં રાખો કે આ લાભ ફક્ત ત્યારે જ ઉપલબ્ધ છે જો તમે જૂની કર વ્યવસ્થા પસંદ કરો છો. જો તમે તેના બદલે નવી કર વ્યવસ્થા પસંદ કરો છો તો 80સીસીસી કપાત તમારા માટે ઉપલબ્ધ ન હોય તો પણ તમે સંભવતઃ નીચા કર દરોથી લાભ મેળવી શકો છો.

FAQs

આવકવેરા અધિનિયમ મુજબ મહત્તમ 80સીસીસી કપાત મર્યાદા કેટલી છે?

કલમ 80સીસીસી કપાત માટે મહત્તમ અનુમતિપાત્ર રકમ રૂપિયા 1.5 લાખ છે. આ મર્યાદામાં કલમ 80C અને 80સીસીડી હેઠળ મંજૂર કપાતનો પણ સમાવેશ થાય છે.

શું અનિવાસી ભારતીયો આવકવેરા અધિનિયમની કલમ 80સીસીસીના લાભોનો દાવો કરી શકે છે?

હા, કલમ 80સીસીસી પેન્શન યોજનામાં રોકાણ માટે કપાતનો લાભ અનિવાસી ભારતીયો માટે પણ ઉપલબ્ધ છે. જોકે તેમણે આ કપાત માટે અન્ય પાત્રતા માપદંડ પૂરા કરવા આવશ્યક છે.

શું નવી કર વ્યવસ્થા પસંદ કરનાર કરદાતાઓ માટે કલમ 80સીસીસી કપાત ઉપલબ્ધ છે?

ના, આવકવેરા અધિનિયમની કલમ 80સીસીસીનો લાભ ફક્ત જૂની કર વ્યવસ્થા પસંદ કરનાર કરદાતાઓ માટે ઉપલબ્ધ છે. તે નવી કર વ્યવસ્થા હેઠળ ઉપલબ્ધ નથી.

શું કલમ 80સીસીસી પેન્શન ફંડમાંથી પાકતી મુદતની રકમ કરપાત્ર છે?

હા, તમને તમારી પેન્શન યોજનામાંથી મળતી રકમ (બોનસ, લોયલ્ટી પેમેન્ટ્સ, વ્યાજ વગેરે સહિત) આવકવેરા અધિનિયમ હેઠળ કરપાત્ર છે. ફક્ત આવી યોજનામાં કરવામાં આવેલ રોકાણ 80સીસીસી કપાત માટે યોગ્યતા ધરાવે છે.

શું હું બહુવિધ કલમ 80સીસીસી પેન્શન ફંડમાં રોકાણ કરી શકું છું?

હા, તમે વિવિધ પેન્શન ફંડમાં રોકાણ કરી શકો છો. જોકે, બહુવિધ 80સીસીસી પેન્શન યોજનામાં તમારા તમામ રોકાણો માટે મંજૂર કુલ કપાત રૂપિયા 1.5 લાખ સુધી મર્યાદિત છે.