શેર વિરુદ્ધઈટીએફ: ઈટીએફ અને શેર વચ્ચેનો તફાવત

શેર શું છે?

જ્યારે કોઈ જાહેરમાં લિસ્ટેડ કંપની તેના સાહસ માટે મૂડી ભંડોળ ઊભું કરવા માંગે છે, ત્યારે તે શેર તરીકે પણ ઓળખાય છે, જેને બોમ્બે સ્ટૉક એક્સચેન્જ જેવા સ્ટૉક એક્સચેન્જ પર ઈશ્યુ કરવામાં આવે છે. તમારી પાસે કેટલા વ્યક્તિગત શેર છે તેના આધારે તમારી પાસે તે કંપનીમાં માલિકીના ચોક્કસ ટકાવારીમાં માલિકી હિસ્સો હોય છે. ઉપરાંત, જો તમે પસંદગીના શેર (પ્રિફર્ડ સ્ટોક્સ) ખરીદો છો, તો તમે કંપનીના નિર્ણયોમાં મતદાન કરવા યોગ્યતા ધરાવતા નથી પરંતુ જ્યારે કંપનીના નફાનો ડિવિડન્ડ પ્રાપ્ત કરવાની વાત આવે ત્યારે સામાન્ય શેર ધરાવતા લોકોની તુલનામાં વધારે પસંદગી મેળવો છો. બજારમાં હજારો લિસ્ટેડ કંપનીઓ છે જેના શેરમાં તમે ઇન્વેસ્ટ કરી શકો છો.

શેરના પ્રકારો

શેર બે પ્રકારના હોય છેસામાન્ય શેર અને પસંદગીના શેર. બંને કંપનીની માલિકીનું પ્રતિનિધિત્વ કરે છે ત્યારે બંને વચ્ચે કેટલાક તફાવત પણ ધરાવે  છે. લેખમાંઆપણે સામાન્ય શેર અને પસંદગીના શેર વચ્ચેનો તફાવત જોઈશું.

  1. સામાન્ય શેર

જ્યારે તમે સામાન્ય શેર ખરીદો છો ત્યારે તમને કંપનીની આંશિક માલિકી મળે છે. સામાન્ય શેરો બોર્ડ ઑફ ડાયરેક્ટર્સને પસંદ કરવાનો કાયદાકીય અધિકારમળે છે. તેથી, તેઓ કોર્પોરેટ પૉલિસી અને કંપનીના મેનેજમેન્ટના નિર્ણયો પર પણ નિયંત્રણ ધરાવે છે.

જ્યારે કોઈ કંપની નિષ્ફળ જાય છે ત્યારે સામાન્ય શેરધારકો પાસે તેમના કોઈપણ નાણાં પાછા આવવાની વાત આવે ત્યારે સૌથી ઓછી પ્રાથમિકતા હોય છે. જે લેણદારો કંપનીને ધિરાણ આપે છે તેઓ સૌથી વધુ અગ્રિમતા સાથે પરત ચુકવણી મેળવે છે. જો ક્રેડિટર્સને ચુકવણી કર્યા પછી કોઈ નાણાં કે ભંડોળ બાકી હોય તોપણ પસંદગીના શેર ધારકોને અગાઉ ચુકવણી કરવામાં આવે છે. મહત્તમ રકમને આધિન રહે છે. જો ત્યારબાદ છેલ્લે રકમ બાકી રહે તો સામાન્ય શેરધારકોને ચુકવણી કરવામાં આવે છે.

  1. પસંદગીના શેર (પ્રિફર્ડ શેર્સ)

સામાન્ય શેર અને પસંદગીના શેર (પ્રિફર્ડ શેર્સ) વચ્ચે એક તફાવત છે કે પસંદગીના શેરમાં મતદાન કરવાનો અધિકાર નથી.

આ શેરને શા માટે પસંદગીના શેર કહેવામાં આવે છે તેના બે મુખ્ય કારણો છે. પસંદગીના શેરધારકોને નિયમિત ડિવિડન્ડ પ્રાપ્ત થાય છે જે સામાન્ય શેરધારકો કરતાં વધુ હોય છે. પસંદગીના શેર ડિવિડન્ડની ચુકવણી કરે છે જે સામાન્ય શેરથી વિપરીત છે જે કંપની કેટલી નફાકારક છે તેના આધારે ડિવિડન્ડની ચુકવણી કરે છે. કોઈ કંપનીને તેના સામાન્ય શેરધારકોને કોઈપણ ડિવિડન્ડ ચૂકવતા પહેલાં તેના પસંદગીના શેરધારકોને ડિવિડન્ડ ચૂકવવા પડશે. જોખમની વાત આવે ત્યારે પસંદગીન શેર બૉન્ડ કરતાં વધુ જોખમકારક હોય છે પરંતુ સામાન્ય શેર કરતાં ઓછું જોખમ ધરાવે છે.

પસંદગીના શેર થોડા પ્રકારના હોઈ શકે છે. કન્વર્ટિબલ પસંદગીના શેરના કિસ્સામાં તમારી પાસે પસંદગીના શેરને સામાન્ય શેરમાં રૂપાંતરિત કરવાનો વિકલ્પ છે. પસંદગીના શેર પણ સંચિત હોઈ શકે છે. તેનો અર્થ છે કે જ્યારે કંપની સારું પ્રદર્શન કરી રહી હોય ત્યારે ડિવિડન્ડ ચુકવણી અટકાવે છે. પરંતુ જ્યારે પરિસ્થિતિમાં સુધારો થાય છે ત્યારે તેમને બાકીના ડિવિડન્ડની ચુકવણી કરવી પડશે. સામાન્ય શેરધારકોએ કોઈપણ ચુકવણી કરતા પહેલાં કરવું પડશે. અન્ય પ્રકાર એક રિડીમ યોગ્ય પસંદગીના શેર છે જ્યાં કંપની પાસે ભવિષ્યમાં ચોક્કસ તારીખે શેરને રિડીમ કરવાનો અધિકાર ધરાવે  છે.

ઈટીએફ શું છે?

જ્યારે શેર ફક્ત એક સાધન છે ત્યારે ઈટીએફ એ શેર, કોમોડિટીઝ, બોન્ડ્સ અને અન્ય સિક્યોરિટીઝ જેવા વિવિધ રોકાણોનો સમાવેશ કરતી સિક્યોરિટીઝની બાસ્કેટ છે. આ ફંડ્સને હોલ્ડિંગ્સ કહેવામાં આવે છે. ત્યારબાદ આ હોલ્ડિંગ્સને શેર ફંડ મેનેજર દ્વારા રોકાણકારોને વેચવામાં આવે છે. ભારતમાં ઈટીએફ સૌ પ્રથમ વર્ષ  2001માં રોકાણ માટે રજૂ કરવામાં આવ્યા હતા. આજે, ભારતમાં અનેક ઈટીએફ છે જેને પસંદ કરવામાં આવે છે.

અન્ય પ્રકારના ઈટીએફ

સામાન્ય રીતે ઈટીએફનો અર્થ છે કે ભંડોળના મૂલ્યમાં વધારો થાય છે, એટલે કે જ્યારે બજાર ઓછામાં ઓછા શેર્સ સાથેતેજીમય વલણ ધરાવતા  હોય ત્યારે આર્થિક રીતે ફાયદો થાય છે. જો કે એક અન્ય પ્રકારનું ઈટીએફ છે જે વિપરીત રીતે ચોક્કસ કાર્ય કરે છે. ઇસે ઇન્વર્સ ઈટીએફ કહેવાય છે.

ઇન્વર્સ ઈટીએફ શું છે?

આ પ્રકારનું ઈટીએફ લાભ ત્યારે થાય છે કે જ્યારે તે ઇન્ડેક્સની સ્થિતિ ટ્રૅક કરવામાં આવે છે, જેમ કે આ અંગે નામ સૂચવે છે. તે ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ, ઓપશન્સ અને સ્વેપ સહિત ડેરિવેટિવથી બનાવવામાં આવે છે. ‘શૉર્ટ ઈટીએફઅથવા બીયર ઈટીએફએ ઈન્વર્સ ઈટીએફ એ અન્ય એક નામ છે. જ્યારે કોઈ બજાર કિંમત ઘટે છે ત્યારે તેને બિયરબજાર તરીકે ઓળખવામાં આવે છે.

ઈટીએફ સામાન્ય રીતે દૈનિક ધોરણે ભવિષ્ય માટે રોકાણ કરે છે. જ્યારે ઇન્ડેક્સ 2% સુધી તૂટે છે ત્યારે ઇન્વર્સ ઈટીએફ 2% સુધી વધી જાય છે. ઇન્વર્સ ઈટીએફ એક ટૂંકા ગાળાનું રોકાણ છે કારણ કે તે ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ જેવા ડેરિવેટિવ પર આધારિત છે, જે દૈનિક ધોરણે ફેરફાર ધરાવે છે.

લિવરેજ્ડ ઇન્વર્સ ઈટીએફ શું છે?

ડેરિવેટિવ્સ ઉપરાંત ડેબ્ટનો ઉપયોગ ઇન્ડેક્સના પરિણામોને વધારવા માટે કરી શકાય છે. લિવરેજ્ડ ઇન્વર્સ ઈટીએફ સાથે વળતર 2:1 અથવા 3:1 પ્રમાણમાં વધારી શકાય છે. દર્શાવે છે કે જો અગાઉના ઉદાહરણ પ્રમાણે નિફ્ટી 50 3% ઘટે છે તો તમારું 3એક્સ લિવરેજ્ડ ઇન્વર્સ ઈટીએફ 9% વધશે.

ઇન્વર્સ ઈટીએફ કે લાભ

તમારા ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોમાં તે સ્ટાન્ડર્ડ ઈટીએફથી વિપરીત કાર્ય કરે છે. જો તમારી પાસે સ્ટાન્ડર્ડ ઈટીએફ છે જે બેંચમાર્ક ઇન્ડેક્સને ટ્રેક કરે છે, તે ઇન્ડેક્સને ઇન્વર્સ ઈટીએફ ટ્રેક કરવાનો અર્થ છે કે જો ઇન્ડેક્સ પૉઇન્ટ્સ ગુમાવે છે, તો તમારું ઈન્વર્સ ઈટીએફ તેના માટે વધારે વળતર આપે છે.

ઇન્વર્સ ઈટીએફના ગેરલાભ

પ્રથમ નુકસાન જોઈએ તો ઉચ્ચ ખર્ચના ગુણોત્તર પ્રમાણે હોય છે. કારણ કે ઇન્વર્સ ઈટીએફ સક્રિય રીતે મેનેજ કરેલ ફંડ છે આ કિસ્સામાં જો તમે ટૂંકા સમયગાળા માટે ઇન્વર્સ ઈટીએફની માલિકી ધરાવતા હોય તો તમને વધુ સારું વળતર આપવામાં આવશે. લાંબા ગાળા માટે ટૂંકા ગાળાના શેરો અથવા ઇન્ડેક્સ ફંડ્સ એક શ્રેષ્ઠ વિકલ્પ છે.

ઈટીએફ અને શેરો વચ્ચેની સમાનતા

તમે સ્ટૉક સામે ઈટીએફને લગતા મુદ્દાઓને ધ્યાનમાં લો તો સૌથી પહેલા યાદ રાખો કે તે નોંધપાત્ર પ્રમાણમાં સમાનતા ધરાવે છે.

  1. બંને કરપાત્ર છે
  2. ઇન્કમ સ્ટ્રીમ પૂરું પાડે
  3. અનેક વિકલ્પોની ઑફરકરે છે
  4. માર્જિન પર ખરીદી શકાય છે અને ટૂંકા સમયમાં વેચી શકાય છે
  5. બંનેને ટ્રેડિંગ દિવસ દરમિયાન શેર બજારમાં ટ્રેડ કરી શકાય છે.

શેર અને ઈટીએફ વચ્ચેના તફાવતો:

  1. ઈટીએફમાં રોકાણ કરવું ઓછું જોખમ ધરાવે છે કારણ કે તે વિવિધતા ધરાવે છે. તમે વિવિધ યુનિટના પોર્ટફોલિયોમાં રોકાણ કરી શકો છો અને તે  વધારે પ્રમાણમાં મૂલ્ય ગમાવવાનું ઓછું જોખમ ધરાવે છે. બીજી બાજુ વ્યક્તિગત શેરમાં રોકાણ કરવું જોખમી હોઈ શકે છે, ખાસ કરીને ત્યારે કેજ્યારે તમે તમારા બધા ઈંડાને એક બાસ્કેટમાં મૂકો છો. જો કંપની તેનું મૂલ્ય ગુમાવે છે, તો તમારા શેરનું મૂલ્ય ઘટે છે, અને તે નુકસાનને સમાપ્ત કરવા માટે કોઈ અન્ય ઇન્વેસ્ટમેન્ટ સાધન નથી.
  2. ઈટીએફને તમારા માટે રોકાણનું સંચાલન કરવા માટે વ્યવસાયિકની જરૂર પડે છે, જ્યારે શેરમાં રોકાણ કરવા માટે કોઈ બ્રોકરની જરૂર નથી. તમે તમારું સંશોધન કરી શકો છો અને એક મજબૂત પોર્ટફોલિયો બનાવી શકો છો.
  3. જ્યારે તમે વ્યક્તિગત શેર ખરીદો ત્યારે ઈટીએફ ની તુલનામાં વધુ ટ્રાન્ઝૅક્શન ફી છે. જો કે ખર્ચ રેશિયો અને બ્રોકર ફી સામાન્ય રીતે ઈટીએફ માટે ઓછી હોય છે.
  4. તમારા ઈટીએફનું સંચાલન એક વ્યવસાયિક દ્વારા કરવામાં આવે છે જે તમને નિર્ણય લેવામાં સમસ્યા આવે છે કે ઈટીએફના કયા ભાગોને વેચવા અથવા હોલ્ડ કરવામાં આવે છે. વ્યક્તિગત શેરોના કિસ્સામાં તમારે ક્યારે ખરીદવું, વેચવું અથવા હોલ્ડ કરવું તે જાણવા માટે બજાર પર નજર રાખવાની જરૂર પડશે. ઇનવર્સલી ઈટીએફના કિસ્સામાં તમારા ઈટીએફના ભાગો સાથે શું થાય છે તેના પર તમારી પાસે નિયંત્રણ નથી; જ્યારે શેરમાંતમારી પાસે સ્ટૉકની પસંદગી પર નિયંત્રણ છે.

તારણ

તમારા જીવનના કોઈપણ અન્ય મહત્વપૂર્ણ પાસાની જેમ જ રોકાણ તમારા સંશોધન, વ્યક્તિગત પસંદગી અને અનુભવી કોઈની માર્ગદર્શન પર પણ આધારિત છે. તમારે તમારા ફાઇનાન્શિયલ લક્ષ્યોને ઓળખવા અને જોખમની તમારી સ્થિતિમાં સમજવા માટે યોગ્ય પ્રયત્ન કરવો પડશે. વ્યાવસાયિક માર્ગદર્શન માટે તમારા ભવિષ્યને સુરક્ષિત કરવા  શ્રેષ્ઠ રોકાણ વિકલ્પો પસંદ કરવામાં તમારી મદદ કરવા  સલાહકાર અથવા બ્રોકરની મદદ લો.