હું મારા સોવરેન ગોલ્ડ બૉન્ડને કેવી રીતે તપાસી શકું છું

1 min read
by Angel One

અવલોકન

ભારતમાં, સોનું સૌથી વધારે ઓળખ ધરાવતી એવી સંપત્તિ છે કે જેમાં તમામ પ્રકારની જનસંખ્યા દ્વારા મૂલ્યવાન ગણવામાં આવે છે. પુરુષો, મહિલાઓ, વૃદ્ધ, યુવાન, સમૃદ્ધ અથવા ગરીબદરેક વ્યક્તિ સોનાના મૂલ્યને સમજે છે અને તેને સરળતાથી ખરીદી અથવા વેચી શકે છે. તમે તમારા ઘરમાં આભૂષણોને સુરક્ષિત રાખી દેખરેખ રાખી શકો છો, જે ગોલ્ડ પોટમાં વારંવાર યોગદાન આપવા માટે પ્રયત્નો કરવામાં આવે છે.

આર્થિક રીતે આગળ વધતી વ્યક્તિ વધુ આર્થિક રીતે આગળ વધારવા સંપત્તિનો જ્વેલરીના બદલે સોવેરિયન ગોલ્ડ બૉન્ડ તરીકે વધુ સારું રોકાણ કરે છે. ફિઝીકલ સોનાના વિકલ્પો તરીકે સરકાર દ્વારા ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) દ્વારા રજૂ કરવામાં આવતી સિક્યોરિટીઝ છે. તે સોનાને ગ્રામમાં મૂલ્ય ગણે છે અને રોકાણકારો તે પ્રાપ્ત કરવા  ઈશ્યુ કિંમત ચૂકવે છે. સામાન્ય રીતે આઠ વર્ષ પછી તેઓને રોકડમાં રૂપાંતરણ કરી શકાય છે. જો કે, તમે તેમને પાંચ વર્ષ  અગાઉ રોકડ પરત કરી શકો છો.

સોવરેન ગોલ્ડ બૉન્ડ્સ રોકાણકારોને ફિઝીકલ રીતે સંગ્રહ કરવાના જોખમો વિશે ચિંતા કર્યા વિના પીળા ધાતુમાં રોકાણ કરવાની તક ધરાવો છો. તમને એકવાર બોન્ડ્સ મેચ્યોરિટી થયા પછી તે સોના બજાર પ્રમાણ મૂલ્ય  ધરાવવા ઉપરાંત સમયાંતરે વ્યાજ પણ મળે છે. દર વર્ષે પ્રારંભિક રોકાણ પર 2.50 ટકાનો નિશ્ચિત વ્યાજ દર ચૂકવવામાં આવે છે. રોકાણકારના બેંક એકાઉન્ટમાં વર્ષમાં બે વખત જમા કરવામાં આવે છે. જ્યારે બૉન્ડ મેચ્યોર થાય ત્યારે અંતિમ વ્યાજની ચુકવણી મુદ્દલ રકમ સાથે કરવામાં આવે છે.

ગોલ્ડ બૉન્ડ્ કેવી રીતે સ્ટોર કરવામાં આવે છે?

બોન્ડ ઈશ્યુ કરવામાં આવે તે દિવસે, રોકાણકારને બૉન્ડ, સ્ટૉક હોલ્ડિંગ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા લિમિટેડ (એસએચસીઆઈએલ), સ્ટૉક એક્સચેન્જ, એજન્ટ્સ, નિયત પોસ્ટ ઑફિસ અથવા સીધા આરબીઆઈ પાસેથી ઇમેઇલ દ્વારા હોલ્ડિંગનું પ્રમાણપત્ર આપવામાં આવે છે. પ્રમાણપત્રો ફિઝીકલ રીતે રાખી શકાય છે, અથવા જો રોકાણકારો ટ્રેડ કરવા માંગતા હોય તો તેમને તેમના ડિમેટ એકાઉન્ટમાં રાખવાનું પસંદ કરી શકે છે.

જો રોકાણકારો સોનાના બોન્ડનો ઉપયોગ કરીને કામકાજ કરવાનો ઇરાદો ધરાવે છે તો તેઓએ અરજી ફોર્મમાં તેની વિનંતી કરવી જોઈએ. ત્યારબાદ, જ્યાં સુધી બોન્ડની ડિમટીરિયલાઇઝેશન પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી આરબીઆઈની પુસ્તકોમાં સંપત્તિ જાળવી રાખવામાં આવે છે. સ્ટૉક એક્સચેન્જ પર ટ્રેડિંગ ઉપરાંત સરકારી સિક્યોરિટીઝ અધિનિયમ, 2006  સોવરેન ગોલ્ડ બૉન્ડ્સના સંપૂર્ણ અને આંશિક ટ્રાન્સફરને સરળ બનાવે છે

સોવરેન ગોલ્ડ બૉન્ડનું મૂલ્ય તપાસવું

જો, કોઈપણ સમયે તમે તમારા એસજીબી ગોલ્ડ બૉન્ડના મૂલ્યની ગણતરી કરવા માંગો છો તો તમારે ઈસ્યુ પ્રાઈઝ અંગે નિર્ણય કરવા આરબીઆઈ દ્વારા ઉપયોગ કરાતી પદ્ધતિને અનુસરવાની જરૂર છે. તેની ગણતરી સપ્તાહના છેલ્લા ત્રણ વ્યવસાયિક દિવસો માટે 999 શુદ્ધતા સોનાની અંતિમ કિંમતની સરળ સરેરાશ તરીકે કરી શકાય છે. અંતિમ કિંમતો ઈન્ડિયા બુલિયન અને જ્વેલર્સ એસોસિએશન લિમિટેડ (આઈબીજેએ) દ્વારા દરરોજ પ્રકાશિત કરવામાં આવે છે.

ટ્રેડિંગ સોવરેન ગોલ્ડ બૉન્ડ

ગોલ્ડ બૉન્ડ માટે લાંબા લૉકઇન સમયગાળો ઘણા રોકાણકારો માટે એક મોટો ગાળો લાગે છે. જો કે, મહત્વની વાત છે કે જો તમે બહાર નિકળવા માંગો છો તો તમે એસેટ મેચ્યોર્ડ થતાં પહેલાં સ્ટૉક એક્સચેન્જ પર તમારા સોવેરિયન ગોલ્ડ બૉન્ડને વેચી શકો છો. તમે ઈન્ડિયા બુલિયન અને જ્વેલર્સ એસોસિએશનના આંકડાના આધારે બોન્ડનું મૂલ્ય નિર્ધારિત કરી શકો છો અને તે પ્રમાણે તમારા હોલ્ડિંગને એક્સચેન્જ પર વેચી શકો છો. સોનાના બોન્ડની કિંમતને સોનાની કિંમત તેમજ સંપત્તિ માટે માંગ અને પુરવઠા દ્વારા જાણ કરવામાં આવશે.

જો કોઈ રોકાણકાર પાંચ વર્ષના લૉકઇન સમયગાળા પછી સમય પહેલા બોન્ડ્સને રિડીમ કરવા માંગે છે, તો તેઓ કૂપનચુકવણીની તારીખો પર આવું કરી શકે છે. જો કે, યાદ રાખો કે તમારા બૉન્ડ્સને પહેલાંથી કૅશ કરવા માટે, તમારે કૂપનની તારીખથી 30 દિવસ પહેલાં તમારી જારી કરનાર અધિકારીને સૂચિત કરવી આવશ્યક છે.

બૉન્ડને મેચ્યોરિટી પહેલાં પણ અન્યને ટ્રાન્સફર અથવા ગિફ્ટ કરી શકાય છે. રોકાણકારોએ જારીકર્તા એન્ટિટીથી ટ્રાન્સફર ફોર્મ મેળવવું જોઈએતે પોસ્ટ ઑફિસ, બેંકો અથવા અન્ય એજન્ટ હોય. ફોર્મ માલિકીના ટ્રાન્સફર અને ગોલ્ડ બૉન્ડની નવી નોંધણી માટે જરૂરી છે.

તારણ

તમારી સંપત્તિઓના મૂલ્ય પર ટૅબ્સ રાખવું સારી પદ્ધતિ છે. વધારાના ભંડોળની જરૂરિયાત કોઈ પણ સમયે રોકડમાં રૂપાંતર કરી શકાય છે, અથવા તમે ફક્ત તમારી મૂડીને અન્ય સિક્યોરિટીઝને ફરીથી ફાળવવા માંગો છો અથવા તમારા રોકાણ પોર્ટફોલિયોને વિવિધતા આપી શકો છો. આવી પરિસ્થિતિમાં ચોક્કસ આંકડા કે જે તમારા સોવેરિયન ગોલ્ડ બૉન્ડના મૂલ્યને દર્શાવે છે તે તૈયાર થાય છે.

તમારા સોવરેન ગોલ્ડ બૉન્ડના મૂલ્યનું નિર્ધારણ અન્ય સિક્યોરિટીઝની કિંમતને શોધવાથી અલગ હોય છે. આઈબીજેએ દ્વારા જાહેર કરેલા આંકડાના આધારે તમારે સરળ ગણતરી કરવી જરૂર છે. આંકડા હંમેશા બદલાઈ રહ્યા હોય છે, તેથી સંપત્તિના ધારકોને નિયમિતપણે સોનાની કિંમતમાં થતી વધઘટને ફોલો કરવી જોઈએ.